________________
8
ઉપદેશ શાસ્ત્ર: સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
કઠોર ભાષણ કરે છે, ક્રોધ કરે છે, પૂછવા પર કપટ યુક્ત બોલે છે, કલેશ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરે છે, તેઓ ગુણો માટે અપાત્ર હોય છે અને પગદંડી ગ્રહણ કરનાર આંધળા સમાન ભટકી-ભટકીને અનંત ઘાતને પ્રાપ્ત કરે છે એટલે ભવભ્રમણ વધારે છે. (૩) જે ગુરુ સાંનિધ્યમાં રહીને તેમના કઠોર, અનુશાસનમાં પણ ચિત્તવૃત્તિને શુદ્ધ રાખે છે, મૃદુભાષી, અમાયાચારી, ચતુર, વિવેકી હોય છે તે અશાંતિ અસમાધિથી દૂર રહે છે. (૪) જે પોતાની જાતને જ “સર્વ માને છે, તેવા અહંકારમાં રાચે છે, અન્યનો તિરસ્કાર કરે છે અને બીજાની ગણના માત્ર પણ કરતા નથી; તેવા માની (માન કષાયવાળા) સંયમમાં સ્થિર રહી શકતા નથી. (૫) જ્ઞાન અને ચારિત્રસિવાય અન્ય ઘમંડ આદિઅવગુણ કોઈપણ જીવને શરણભૂત બનતા નથી. તેથી ભિક્ષુ અકિંચન બનીને રહે; ગર્વ, માન, પ્રશંસાથી મુક્ત બને. સુસાધુ અને મૃદુભાષી બને. કોઈની અવહેલના-નિંદા ન કરે. પોતાની પ્રજ્ઞા, તપ, ગોત્ર વગેરેનો મદ ન કરે. તેવું કરવાથી તે ઉચ્ચ અગોત્રગતિને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. () મુનિ કયારેક અનેકની સાથે રહે અને કયારેક એકલો બની જાય તો પણ હર્ષ-શોક ન કરે. એકાંતમાં મૌન રહે અને એવો વિચાર કરે કે જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. (૭) પૂજા શ્લાઘા આદિની ઇચ્છાથી કોઈનું પ્રિય અને કોઈનું અપ્રિય ન કરે. તેને અનર્થનું કારણ સમજી ત્યાગી દે છે.
- ચૌદમા અધ્યયનનો સારાંશ
(૧) ધન-પરિવાર રૂપી બાહ્ય ગ્રંથો-સાધનોનો ત્યાગ કરી, મુનિ સંયમની શિક્ષા પ્રાપ્ત કરતાં-કરતાં બ્રહ્મચર્યમાં સારી રીતે સ્થિર બને તથા પ્રમાદનો ત્યાગ કરીને વિનય ભાવથી ગુરુ આજ્ઞા શિરોધાર્ય કરે. (ર) પાંખ પરિપક્વ ન થાય ત્યાં સુધી પક્ષીએ પોતાનું સ્થાન ન છોડવું જોઈએ, તેવી જ રીતે સાધુએ તેની શૈક્ષ અવસ્થા (ત્રણવર્ષો સુધી એટલે કે સંયમમાં પરિપક્વ થયા પહેલાં ગુરુકુળ વાસમાં જ રહેવું જોઈએ.
આ સૂત્રથી કોઈ જીવનભર માટે સાધુને એકલવિહારનો નિષેધ કરે તો એ તેમની જ બુદ્ધિનો દોષ સમજવો. આ ગાથાનો ભાવ એટલો જ છે કે સાધુ બહુશ્રુત ન થાય ત્યાં સુધી ગુરુકુલવાસનો ત્યાગ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org