________________
આ ઉપદેશ શાસ્ત્ર: સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
અનુભવી, શાસ્ત્રવેત્તા, રાગદ્વેષ વિજેતા, પૂજા-સત્કાર લાભની ઇચ્છાઓથી પર, ધમાથ, ધર્મજ્ઞ, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ સમ્યક આચરણ કરનાર, દમિતાત્મા, જ્ઞાની તેમજ વ્યસૃષ્ટકાય છે તે નિર્ગથ્ર કહેવાય છે.
અપેક્ષાએ ઉપરોક્ત ચારે ય પર્યાયવાચી શબ્દો છે. તેથી ચારેયના લક્ષણોમાં કહેવામાં આવેલ ગુણો સંયમી સાધુ સાથે સંબંધિત છે.
I પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ !
હું
આત્મ હિતે શિક્ષા
જો આત્મકલ્યાણ કરવું હોય તો.... જોશમાં હોશ અને કાન્તિમાં શાન્તિ જાળવવી. પર નિંદા, તિરસ્કારિત (તુચ્છ) ભાષા અને ભાવ-ભંગીથી મુક્તિ પામો. મારા-તારાના ભેદથી બચીને રહો. સમભાવોથી પોતાના સંયમ જીવનને સફળ બનાવો. દ્રવ્ય ક્રિયાની ઉત્કૃષ્ટતાની સાથે-સાથે ભાવ શુદ્ધિ એટલે હૃદયની પવિત્રતા પામીને પરમ શાંત અને ગંભીર બનવું. સંકુચિત, શુદ્ર અને અધીરાઈવાળી મનોદશાથી મુક્ત બનવું ગંભીર સંત રત્ન બનીને, જિનશાસનમાં પ્રકાશ ફેલાવીને પોતાનું જીવન || ધન્ય બનાવવું. સાધુ અને સાધુઓની વાણી આ જગતમાં અમૃતસમ છે. અમૃત જો ઝેરનું કામ કરે તો તે આશ્ચર્ય છે. કોઈનું સારું ન કરી શકો તો, કોઈનું ખરાબ તો ન જ કરો. કોઈની નિંદા, તિરસ્કાર આત્માને માટે ઝેર સમાન છે, તે સંસાર પરિભ્રમણનો રસ્તો છે. (જુઓસુય. અ. ૨, ૩, ૨, ગા.ર.) કોઈને નીરો પાડવાની ચેષ્ટા કરવી દુષ્ટવૃત્તિ છે. સંપ્રદાયના નશામાં ફુલાવું મૂર્ખતા છે. સમભાવ ધરવાથી અને પવિત્ર હૃદયી બનવાથી સંસાર તરવો શક્ય બને છે. નાની એવી જીંદગીમાં કોઈથી અપ્રેમ અથવા વૈરભાવ ન કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org