________________
to૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૧૧) સ્ત્રી તેમજ રાત્રિભોજનનું પૂર્ણ વર્જન(ત્યાગ) કરતાં થકા તેઓ દુઃખના મૂળભૂત કર્મોનો ક્ષય કરવાના હેતુથી વિકટ તપ કરતા હતા. (૧૨) આવા અરિહંત ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા કરીને તે અનુસાર આચરણ કરનાર પરમપદને પ્રાપ્ત કરશે.
*
,-
૯
-
-
-
*
.
- સાતમા અધ્યયનનો સારાંશ
(૧) પૃથ્વી આદિ સ્થાવર પ્રાણી તેમજ અંડજ, રસજ આદિ ત્રસ પ્રાણીઓની હિંસા કરનાર ક્રૂર વ્યક્તિ તેવી જ યોનિઓમાં ભ્રમણ કરતી રહે છે. (૨) માતા-પિતા, ધન અને પરિવાર આદિનો ત્યાગ કર્યા પછી પણ જેઓ સુખ માટે મહાશસ્ત્ર ભૂત અગ્નિનો આરંભ કરે છે, તે વારંવાર ગર્ભધારણ કરે છે. (૩) ઘણા અજ્ઞાની માત્ર મીઠાના ત્યાગથી કે માત્ર પાણીના ઉપભોગ, પરિભોગ તેમજ શુદ્ધિથી મોક્ષ મળવાનું કથન કરે છે પરંતુ તેઓ મધ, માંસ, લસણ વગેરે ખાઈને સંસાર વૃદ્ધિ જ કરે છે. (૪) પ્રાતઃસ્નાન અથવા જળ સ્પર્શથી મુક્તિ થતી હોય તો બધાંજ જળચર પ્રાણીઓને મોક્ષ મળી જાય. એમ તો વિના પુરુષાર્થે ઇચ્છા માત્રથી બધાંની મુક્તિ થઈ જાય અને જળચર જીવોનો ઘાત કરનાર પાપીને પણ સહજ રીતે જ મોક્ષ મળી જાય પરંતુ એવું કંઈ સંભવ નથી. તેથી આ બધું જ અસત્ય પ્રરૂપણ અને અસત્ય પ્રલા૫ છે. (૫) કેટલાક લોકો અગ્નિના સ્પર્શથી મુક્તિની કલ્પના કરે છે, પરંતુ જો એવું હોય તો કુંભાર, લુહાર, સુવર્ણકારોને સહજ રીતે જ મુક્તિ મળી જાય. એમતો ધર્મ, પુરુષાર્થ અને સન્યાસ ગ્રહણ આદિ બધાં ક્રિયા કલાપ વ્યર્થ સિદ્ધ થશે, માટે આ અપરીક્ષિત અને મિથ્યા સિદ્ધાંત છે. (૬) મુમુક્ષુ સંયમી સાધકોએ બીજ, લીલોતરી, જળ, અગ્નિ, કંદ મૂળ આદિના નાશને કર્મબંધ કરાવનાર જાણી તેનું સેવન ન કરતાં, સ્નાનાદિ વિભૂષા કર્મ અને
સ્ત્રી આદિથી દૂર જ રહેવું જોઈએ. (૭) સંયમ ધારણ કરીને પણ જે સ્નાન, વિભૂષા, સ્વાદિષ્ટ આહારમાં આસક્તિ રાખે છે, આહાર આદિ માટે દીનતા ધારણ કરે છે, તે કુશીલ પાર્વસ્થ થઈને સંયમને નિસ્સાર કરી દે છે. (૮) તેથી સાધકોએ સંયમ યાત્રાના નિર્વાહ હેતુ અજ્ઞાત ભિક્ષા દ્વારા દોષ રહિત આહાર પ્રાપ્ત કરી, ઇન્દ્રિય વિષયોમાં આસક્ત ન બનતાં, તપ-સંયમથી પૂજાસત્કારની ચાહના ન કરતાં સંપૂર્ણપણે કર્મબંધના કારણોથી અલગ થઈ, કાષ્ઠફલક સમાન બની કષ્ટોને સહન કરવા જાઇએ. આ પ્રકારે આરાધના કરનાર શ્રમણ કર્મક્ષય કરી સંસાર ભ્રમણથી મુક્ત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org