________________
ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
[ આ આઠમા અદચયનનો સારાંશ || (૧) વીર્ય બે પ્રકારના હોય છે- ૧, કર્મ વીર્યર. કર્મ વીર્ય. તેને જ ક્રમશઃ બાલ વીર્ય અને પંડિતવીર્ય કહેવામાં આવે છે. પ્રમાદની પ્રવૃત્તિ કર્મવીર્ય(બાલવીય) છે અને અપ્રમાદ ની પ્રવૃત્તિ અકર્મ વીર્ય(પંડિતવીર્ય છે. (ર) કર્મ વીર્ય – પ્રાણ વધ કરનારી શસ્ત્રોની શિક્ષા, હિંસક મંત્રોનું અધ્યયન, કામ-ભોગ, છેદન-ભેદન કે આરંભ-સમારંભ; આ સમસ્ત પ્રવૃત્તિઓ દ્વારા રાગદેષમાં લીન પ્રાણી પાપ કર્મોનો બંધ કરે છે. માટે આ પ્રવૃત્તિઓ સકર્મ વીર્ય છે. (૩) અકર્મ વીર્ય:- સ્વયં બોધ પામી અથવા અન્યથી પ્રબુદ્ધ બની, સંપૂર્ણ સ્નેહ બંધનોનો ત્યાગ કરી સંયમ સ્વીકાર કરવો, પાપોનો વિરોધ કરવો, સંસારના સમસ્ત શુભ-અશુભ સંયોગોને અસ્થિર સમજી, આસક્તિ અને રાગ દ્વેષથી મુક્ત થવું. (૪) આયુષ્યનો અંત જાણી, આત્માને શિક્ષિત કરી સંલેખના કરવી. (૫) સાધકોએ કાચબાની જેમ ઇન્દ્રિયોને ગોપવવી અને હિંસા, અસત્ય, અદત્તનો ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ કરી આ ગુપ્ત, જિતેન્દ્રિય બનવું. (૬) સમદર્શી થવું, તપથી યશની આકાંક્ષા ન કરતાં ગુપ્ત તપસ્યા કરવી. ખાવા, પીવા, બોલવા વગેરેનું મર્યાદિત કરવું.
આ પ્રકારે ક્ષાંત, દાંત, ઉપશાંત, નિસ્પૃહ સાધના તથા ધ્યાન તેમજ યોગનું સમાચરણ કરી, કાયાના મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરી, કષ્ટ સહિષ્ણુતા ધારણ કરી, કર્મોથી મુક્ત થવું એ અકર્મ વીર્ય છે.
નવમ અદયયનનો સારાંશ (૧) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, ખેડૂત, વણિક, ભિક્ષાચર વિગેરે જે કોઈપણ આરંભ, સમારંભમાં અને તેમજ કામભોગમાં અને પરિગ્રહમાં સંલગ્ન છે, તેઓ દુઃખથી છુટી શકતા નથી. (૨) પારિવારિક લોકો પણ કર્મોથી ઉત્પન્ન દુઃખમાં ત્રાણ શરણભૂત થતાં નથી, પરંતુ મરણ પછી તે લોકો જ શરીરને બાળી, (એકઠું કરેલ)ધનના સ્વામી બને છે. (૩) આ જાણી ભિક્ષુ, ધન, પુત્ર, પરિવારનો ત્યાગ કરી, મમત્વ તેમજ અહંકાર રહિત બની, જિન આજ્ઞાનુસાર સંયમ આરાધના કરે. (૪) હિંસા તથા ક્રોધનો સર્વથા ત્યાગ કરે. (૫) ધોવું, રંગવું, બસ્તી કર્મ(એનિમા), વિરેચન, ઉલટી, અંજન, સુગંધી પદાર્થ, માળા, સ્નાન, દંતધાવન, તેલ આદિ સંયમ નાશક કાર્ય છે, તેનો ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org