________________
==
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ત્રીજો ઉદ્દેશક :
(૧) સંગ્રામમાં ગયેલ કાયર પુરુષ છુપાવાનું સ્થાન કે ભાગવાનો માર્ગ હંમેશા પહેલેથી જ જોઈ રાખે છે, તેવીજ રીતે સંયમમાં હીન પુરુષાર્થી વ્યક્તિ પોતાની આજીવિકાની વિદ્યા તેમજ નિવાસસ્થાનના સાધનો શોધી લે છે.
(૨) ઘણા વીર સાધક શૂરવીર યોદ્ધાની જેમ મૃત્યુપર્યન્ત સંયમ વિમુખ થતા નથી. (૩) સેવા તેમજ સહયોગમાં મમત્વ ભાવ ન હોવો જોઈએ. ગૃહસ્થીની અપેક્ષા સાધુના સહયોગ-સેવા લેવા જ શ્રેયસ્કર છે. જે લોકો(અન્ય મતાવલંબી) સાધુઓના સેવા-સહયોગને મમત્વ કહે છે અને ગૃહસ્થો દ્વારા સાવધ સહયોગ લે છે, તેમનું કથન મહત્વહીન તેમજ મિથ્યાત્વથી અભિભૂત છે.
(૪) ભિક્ષુ આત્મ સમાધિ રાખવા છતાં ગુણોનો વિકાસ કરે, કોઈના માટે કોઈ પણ અહિતકર કૃત્ય ન કરે અને ગ્લાન-બીમાર ભિક્ષુઓની રુચિ પૂર્વક સેવા કરે. ચોથો ઉદ્દેશક :
(૧) ઘણા લોકો ફક્ત જળ (સચેત) સેવનથી જ સિદ્ધિ માને છે. ઘણાં કેવળ બીજના સેવનથી, તો ઘણાં લીલી વનસ્પતિના સેવનમાં જ સિદ્ધિ માને છે, પરંતુ તે હિંસા આદિથી મુક્ત ન થવાના કારણે સંસારમાં ભ્રમણ કરે છે.
(૨) ઘણાં કહે છે કે સુખ થી જ સુખ મળે છે. તેથી ખાઓ, પીઓ અને મોજ કરો. ભવિષ્ય માટે કટિબદ્ધ થઈ વર્તમાનનાં સુખોને છોડો નહીં. આવા લોકો ધન ગુમાવનાર જુગારીની જેમ અથવા લોહ વણિકની જેમ દુ:ખી બની ભવિષ્યમાં આયુષ્ય અને યૌવનનો ક્ષય થવા પર વિલાપ કરે છે. તેથી એમ સમજવું જોઇએ કે ભવિષ્યનો તેમજ પરિણામનો વિચાર કરી યોગ્ય પરિવર્તન કરનાર જ સુખી થાય છે. (૩) સંયમ સાધક કયારે ય પણ વર્તમાન સુખના ચક્કરમાં ન આવે. સ્ત્રીઓના સંયોગને વૈતરણી નદી સમાન સમજી તેનાથી પૂર્ણ સાવધાન રહે. હિંસા, જૂઠ, ચોરીનો પૂર્ણ ત્યાગ કરે તેમજ અગ્લાન ભાવથી સેવા-ધર્મનું પાલન કરે.
ચોથા અધ્યયનનો સારાશ
આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે. સંપૂર્ણ અધ્યયનમાં સ્ત્રી પરીષહ જીતવાના તથા સ્ત્રી-સંસર્ગ નહીં કરવાના તેમજ સ્ત્રીઓથી સદા સાવધાન રહેવાનો, સ્ત્રીસંગના અનેક દુષ્પરિણામો બતાવીને, ઉપદેશ આપવામાં આવ્યો છે. માતાપિતા અને ધન પરિવાર તેમજ સમરત સુખનો ત્યાગ કરનાર અણગારોએ સદા સ્ત્રીઓથી વિરકત રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org