________________
ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
ત્રીજે ઉદેશક :(૧) સંયમ ધારણ કર્યા પછી જે કયાંય પણ મૂર્શિત થતાં નથી તે સંસારથી પાર થયેલા સમાન જ છે. (૨) જે રીતે વણિકો દ્વારા લાવવામાં આવેલ શ્રેષ્ઠ પદાર્થોની ભેટને આ લોકમાં રાજાઓ ધારણ કરે છે, તેમજ પ્રભુ દ્વારા પ્રદત્ત પાંચ મહાવ્રત અને છટ્ટા રાત્રિભોજન વતને મુનિ ધારણ કરે છે. (૩) મુનિ પોતાના આત્માને સદા સમ્યક અનુશાસિત રાખે, જેથી તે કયારેય પણ સંયમથી ય્યત ન બની જાય. કારણ કે સંયમને છોડી દેનારા પાછળથી અત્યધિક પશ્ચાત્તાપ કે વિલાપ કરે છે. (૪) જીવન ક્ષણભંગુર છે તે સ્પષ્ટ હોવા છતાં પણ ઘણા જીવો વર્તમાનમાં જ તલ્લીન રહે છે, ભવિષ્યનો વિચાર કરતા નથી.તે અજ્ઞાની વળી એવું પણ બોલે છે કે પરલોક કોણે જોયો છે? (૫) તે બાલ જીવો ધનને પોતાનું તેમજ શરણભૂત માને છે પરંતુ જ્યારે આપત્તિકે મોતના મુખમાં જાય છે ત્યારે વિલાપ કરતાં-કરતાં દુઃખી બની એકલા જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. (૬) મુનિ એવા અમૂલ્ય અવસરને જાણી આરંભ, પરિગ્રહ તેમજ કષાયોનો ત્યાગ કરી, મહાન સંસાર સમુદ્રને પાર કરીને મુક્ત થઈ જાય છે.
ત્રીજા અધ્યયનનો સારાંશ
પ્રથમ ઉદ્દેશકઃ(૧) ઘણા સાધક પોતાને શૂરવીર માને છે પરંતુ, ઠંડી, ગરમી, ભિક્ષા, અલાભ, આક્રોશ, મારપીટ, ડાંસ-મચ્છર આદિ પરિષહ ઉત્પન્ન થાય ત્યારે કે લોચ કરવાના સમયે કાયર બની વિષાદ પ્રાપ્ત કરે છે. ખરેખર મોક્ષાર્થી સાધકોએ સંગ્રામના મોરચે ઊભેલા હાથી સમાન બધા પરીષહ, ઉપસર્ગ ધર્યથી સહન કરવા જોઈએ. બીજો ઉદ્દેશકઃ(૧) પ્રતિકૂળ પરીષહોની અપેક્ષાએ અનુકૂળ પરીષહ સૂમ અને દુસ્તર હોય છે. તેથી ભિક્ષુ કોઈના પણ મોહના ચક્કરમાં ન ફસાય. (૨) સ્ત્રી, પરિવાર અને પૂજા સત્કારનો સંગ મહાપાતાળ સમાન છે. મુનિ સદા તેનાથી સાવધાન રહે. (૩) રાજા આદિ ઋદ્ધિ સંપન્ન લોકોના આદર તેમજ નિમંત્રણથી પણ સદા સાવધાન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org