SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બીજા અધ્યયનનો સારાંશ - પ્રથમ ઉદ્દેશક (૧) વીતી ગયેલ સમય ફરી આવતો નથી, તેમજ મનુષ્ય જીવન દુર્લભ છે, આયુષ્ય ક્ષણભંગુર છે, તેથી પરિવાર અને પરિગ્રહ તેમજ આરંભથી નિવૃત્ત બનો. તેને ભયકારી(દુઃખકારી) જાણો. (૨) જીવ સ્વયં કર્મ કરી અને તેના ફળને પ્રાપ્ત કરી દુ:ખી થાય છે, છતાં પણ પોતાની હીન અવસ્થા કે ઊંચ અપસ્થામાં પણ તે જીવ ભરવાનું ઇચ્છતો નથી. (૩) બહુશ્રુત જ્ઞાની અને સંયમી બનીને પણ જે કષાય ભાવોમાં લીન રહે છે, તે પણ તીવ્ર કર્મોથી દુ:ખી થાય છે. નિરંતર માસખમણની તપસ્યા કરીને પણ કષાયોનો ત્યાગ ન કરે, તો તપસ્વી પણ વારંવાર જન્મ-મરણ કરે છે. (૪) દુઃખ આવે ત્યારે તેવું વિચારે કે હું એક જ દુઃખી નથી, સંસારમાં અન્ય પ્રાણી પણ વિવિધ દુઃખોથી દુ:ખી છે; તેવું વિચારી ધૈર્ય રાખી સહનશીલ બને. (૫) સ્થિર ચિત્તવાળા ધૈર્યવાનને કોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિ, સંયમ તેમજ આત્મશાંતિથી વિચલિત કરી શકતાં નથી. બીજા ઉદ્દેશક ઃ (૧) કોઈ પણ પ્રકારનું અભિમાન અને બીજાની નિંદા કલ્યાણકારી નથી પરંતુ બીજાઓને નીચે પાડવાની ભાવના કે તિરસ્કારની ભાવના અને નિંદાનો વ્યવહાર વ્યક્તિને મહાન સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. માટે મુનિ પર-નિષ્ઠા અને પર-તિરસ્કારને પાપકારી જાણી ત્યાગી દે. (૨) મુનિ પોતાના કષ્ટોને સહન કરે તેમજ બધાં પ્રાણીઓને આત્મવત્ સમજે. (૩) આ લોકમાં જેટલા પણ પૂજા-પ્રતિષ્ઠા કે, માન-સન્માન પ્રાપ્ત થાય, તેને મુનિ મહાન કીચડ સમાન સમજે. તેમાં ફૂલાઇ જવું કે તેની ઇચ્છા કરવી, તે આત્માં માટે સૂક્ષ્મ શલ્યરૂપ છે. (૪) યોગ્યતાની વૃદ્ધિ અને અભ્યાસ કરીને મુનિ એકત્વચર્ચા ધારણ કરે. વિશિષ્ટ સાધનાથી કર્મ ક્ષય કરે, પરીષહ ઉપસર્ગ સહે, પરંતુ કયાંય ભયભીત ન બને. (૫) ભિક્ષુ કલહ-ક્લેશ થી હંમેશા દૂર રહે, કારણકે તેનાથી સંયમનો અત્યધિક નાશ થાય છે. (૬) ષટ્કાય રક્ષક સર્વજ્ઞ ભગવંતોના આ અનુત્તર ધર્મનો સ્વીકાર કરી, સ્વેચ્છાઓનો ત્યાગ કરી, ગુરુ આજ્ઞાનું પાલન કરી ને, અનંત પ્રાણી આ સંસારથી પાર ઉતરી ગયા અર્થાત્ મુક્ત થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy