SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ શાસ્ત્ર : સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ 1 બીજો ઉદ્દેશક ઃ (૧) નિયતિ વાદી સુખ-દુઃખના કર્તા પોતાને કે અન્ય ને કોઈને પણ માનતા નથી પરંતુ કેવળ નિયતિથી જ બધું થાય છે તેવું માને છે. તેવું માનવા છતાં પણ તેઓ દુઃખ થી છૂટી શકતાં નથી. 63 (૨) અજ્ઞાનવાદી ભોળા મૃગ-સમાન છે. તેઓ ભ્રમ-જાળમાં ફસાઈ કર્મબંધના ભાગી બની સંસાર ભ્રમણ કરે છે. (૩) વનમાં દિશા મૂઢ બનેલી વ્યક્તિ જે પ્રકારે પોતાનો કે અન્યનો માર્ગ નિશ્ચિત નથી કરી શકતી તથા અંધ વ્યક્તિ અંધાઓને માર્ગ પર નથી લાવી શકતી તેવીજ રીતે આ અજ્ઞાનવાદી ભટકતા રહે છે. (૪) ‘ત્રણે ય યોગ હોય તો જ કર્મ બંધ થાય છે’ અથવા ‘દ્વેષ ભાવ વિના કોઈને મારી નાખીને માંસ ખાવાથી પાપ બંધ થતો નથી', તેવું કહેનાર મિથ્યાવાદી લોકો છિદ્રોવાળી નાવ સમાન સંસારમાં ડૂબી જાય છે. ત્રીજો ઉદ્દેશક ઃ (૧) જે સાધુ આધાકર્મી અને આધાકર્મીના અંશ માત્રથી પણ મિશ્રિત આહારપાણીનું સેવન કરનાર છે, તેઓ પાણીની બહાર પડેલી, પક્ષીઓ દ્વારા ખાવામાં આવતી માછલી સમાન ઘાતને પ્રાપ્ત કરે છે. તે બે પક્ષનું સેવન કરે છે, અર્થાત્ વેષથી સાધુ અને ગુણથી અસાધુ છે. (૨) દેવ, બ્રહ્મા, ઈશ્વર, સ્વયંભૂ દ્વારા જગતની રચના માનવાવાળા અથવા ઇડાથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે, તેવું માનવાવાળા, સંવર ધર્મને સમજી શકતા નથી. (૩) કેવળ ક્રીડાના હેતુથી અવતાર માનનાર પણ દોષપાત્ર છે. કારણકે એવું માનવાવાળા માટે પાપોનો ત્યાગ આવશ્યક નથી બનતો અને તેના પાપ સેવનથી દુ:ખની પરંપરા જ વધે છે. ચોથો ઉદ્દેશક ઃ (૧) ઉપર કહેલા તે અન્યતીર્થિક લોકો ગૃહત્યાગ કરીને પણ અશરણભૂત સાવધ કૃત્યોનો ઉપદેશ આપે છે. આવું જાણી મુનિ હંમેશાં આરંભ અને પરિગ્રહ યુક્ત સાવધ કૃત્યોથી દૂર રહે તેમજ નિર્દોષ ભિક્ષા વૃત્તિથી જીવન વ્યતીત કરે. (૨) જ્ઞાનનો સાર જ એ છે કે સંસારના સમસ્ત ચર-અચર પ્રાણી પોતે જ દુઃખી છે, એવું જાણી તેમના પ્રત્યે મુનિ પૂર્ણ અહિંસક બને. Jain Education International (૩) મુનિ સમસ્ત પદાર્થોના પ્રત્યે આસક્તિનો ત્યાગ કરે, જતનાપૂર્વક ચાલે, બેસે, સૂએ, ખાય, પીવે, બોલે, જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સંરક્ષણ કરે અને કષાયોને દૂર કરી મોહ રહિત બને. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy