________________
ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
1
પ્રસ્તાવના –
ધર્મ અને દર્શન બંને અલગ અલગ શબ્દ છે, બંનેના પોતાના વિષય, ક્ષેત્ર અને લક્ષ્ય અલગ-અલગ છે. ભારતીય દર્શનોમાં ભલે વૈદિક દર્શન (સાંખ્ય યોગ, વૈશેષિક, ન્યાય, મીમાંસા, વેદાન્ત) હોય કે અર્વેદિક(જૈન, બૌદ્ધ, ચાર્વાક) હોય, મુખ્ય ત્રણ આધાર તત્ત્વ નજરે આવે છે,
૧. આત્મત્વ (આત્મ સ્વરૂપ) ની વિચારણા. ૨. ઈશ્વર સત્તા વિષયક ધારણા.
૩. જગત સ્વરૂપ (લોક સત્તા)ની વિચારણા.
આત્માના સુખ-દુઃખનું ચિંતન આત્મ સ્વરૂપની વિચારણામાં અવશ્ય કરવામાં આવે છે. આત્મા સ્વતંત્ર છે કે પરતંત્ર ? આત્મા કોને આધીન છે ? ઈશ્વરને કે કર્મને ? તે આધીન કેમ છે ? શું તે હંમેશાં પરતન્ત્ર જ રહેશે ? કે સ્વતંત્ર અસ્તિત્વ પણ છે ? સ્વતંત્ર છે તો ક્યારે અને કેવી રીતે ? અસ્તિત્વનું સ્વરૂપ છે કે નિરાકાર ? જગતનું સ્વરૂપ કેવું છે ? લોક શું છે ? કેવો છે ? સંચાલન કર્તા કોણ છે ? વ્યવસ્થા કેવી રીતે ચાલે છે ? લોકનું અસ્તિત્વ કયાં સુધી છે ? ઈશ્વર અને લોક સત્તા, ઈશ્વર અને આત્મા, જીવ અને જગત, એ સંબંધોની વિસ્તૃત ચર્ચા તેમજ વિચારણા દર્શનનું કાર્ય છે. દર્શન શાસ્ત્ર દ્વારા ચિંતન કરેલ, વિવેચન કરેલ તત્ત્વો પર આચરણ કરવું, પ્રયોગમાં લાવવું તે ધર્મનું ક્ષેત્ર છે. સુખ-દુઃખના, મુકિતના કારણોની ખોજ કરેલ વિષયો પર ચિંતન, મનન કરી દુઃખ મુક્તિ અને સુખ પ્રાપ્તિના ઉપાયો પર પ્રયત્ન કરવો તે ધર્મનું ક્ષેત્ર છે.
સૂત્ર પરિચય :- પ્રસ્તુત આગમનું નામ સૂત્રકૃતાગ સૂત્ર છે. આ ગણધર રચિત બીજું અંગશાસ્ત્ર છે. આ આગમમાં સ્વસમય(જૈન સિદ્ધાન્ત) અને પર સમય(અન્ય મતાવલંબીઓ દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતો)ની ચર્ચાવિચારણા, ખંડન અને પ્રસ્તુતિ કરવામાં આવી છે.
આ આગમના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધ પધમય છે, તેમાં ૧૭ અધ્યયન છે, બીજા શ્રુતસ્કંધ માં ૭ અધ્યયન છે, જેમાં પાંચમું અને છઠ્ઠું અધ્યયન પદ્મમય છે, બાકી પાંચ અઘ્યયન ગદ્યમય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org