________________
છે કર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સમારંભનો ત્યાગ કરી ત્યાગી બને છે અને સર્વશક્તિથી સંયમ અને તપમાં તલ્લીન બની જાય છે. (૨) સર્વજ્ઞ પરમાત્માનો એ જ ઉપદેશ છે કે ઊઠો! પ્રમાદ ન કરો. જીવોનાં સુખદુઃખોને જુઓ અને અહિંસક બનીને સ્વયંની આપત્તિને વૈર્યથી પાર કરો. (૩) સાધકે એવું ચિંતન કરવું કે પહેલાં કે હમણાં બાંધેલા કર્મોનું કરજ મોડું કે વહેલું ચુકવવું તો પડશે જ. શરીર પણ એક દિવસ તો છોડવું જ પડશે. (૪) આવા આત્માર્થી, ચિંતનશીલ જ્ઞાનીઓ માટે સંસાર માર્ગનથી રહેતો અર્થાત્ તે પરિત સંસારી બની જાય છે. (૫) પરિગ્રહ ખૂબ જ ભયાનક છે; કર્મબંધન કરાવનાર છે; એવુ જાણીને સાધક હિંમેશા પોતાના ભાવોને પરિગ્રહ અને આરંભ-સમારંભથી મુક્ત રાખે. (૬) બંધ અને મોક્ષ, ભાવોની પ્રમુખતાથી જ થાય છે. તેથી સાધક જીવન પર્યત અપ્રમાદી બનીને સંયમની આરાધના કરે. તૃતીય ઉદ્દેશકઃ(૧) અનુપમ અવસર પ્રાપ્ત થતાં, સાધના કાળમાં કયારેય પણ પોતાની શક્તિને ગોપવવી ન જોઈએ. સંયમ તપમાં વૃદ્ધિ જ કરવી જોઈએ પરંતુ હાનિ કયારેય ન કરવી જોઈએ. (૨) જિનાજ્ઞાનું પાલન કરનાર સાધક આ સંસારમાં કયાંય પણ મોહ કે રાગ ન રાખે અને યુદ્ધ કરે તોપણ કર્મોથી આંતરિક યુદ્ધ કરે, કર્મોથી યુદ્ધ કરવાનો આ જ સુંદર અવસર છે. અન્ય ભવમાં નહીં..! (૩) કેટલાયે સાધકો શબ્દાદિ વિષયોમાં ફસાઈ જાય છે પરંતુ તે બધા વિષયોની ઉપેક્ષા કરનાર જ સાચો જ્ઞાતા મુનિ છે. કાયર, કપટી અને ઇન્દ્રિય-વિષયોમાં આસક્ત વ્યક્તિઓ માટે સંયમ આરાધના શક્ય નથી. માટે સંયમ લઈને જે મુનિ રૂક્ષ અને સામાન્ય આહારનું સેવન કરે છે, તે કર્મોને પરાસ્ત કરીને મુક્ત અને તીર્ણ થાય છે. ચતુર્થ ઉદ્દેશકઃ(૧) અયોગ્ય ભિક્ષુઓનો એકલવિહાર અસફળ બને છે કારણકે એમનામાંથી કેટલાય સાધકો વારંવાર ક્રોધ અને અભિમાનને વશ થઈ જાય છે અને તે અનેક અડચણોને પાર કરવામાં અક્ષમ બનીને ખૂબ જ દુઃખી થાય છે. (૨) આવા અપરિપકવ સાધકોએ હંમેશા ગુરુ સાનિધ્યમાં રહી સંયમગુણોનો અને આત્મશક્તિનો વિકાસ કરવો જોઈએ. (૩) શુદ્ધ સંયમ ભાવનાની સાથે-સાથે વિવેક પૂર્વક પ્રવૃત્તિ કરતાં જો કયારેય હિંસાદિ પ્રવૃત્તિ થઈ જાય તો અલ્પ કર્મનો સંગ્રહ થાય છે, જે જલ્દીથી ક્ષય પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org