________________
ક
ઉપદેશ શાસ્ત્ર: આચારાંગ સૂત્ર સારાંશ
છે. માટે હંમેશાં અપ્રમાદ ભાવથી વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. (૪) સાધકે સ્ત્રી પરીષહથી હંમેશાં સાવધાન રહેવું જોઈએ અને કયારેય પણ કોઈ કારણવશાત્ બ્રહ્મચર્ય ઘાતક પરિણામ ઉત્પન્ન થઈ જાય તો આહાર-ત્યાગ અથવા વિહાર આદિ સૂત્રોક્ત ક્રમિક ઉપાયોથી આત્માના એ દુષ્પરિણામોને દૂર કરવા જોઈએ. (૫) આ કામભોગ અશાન્તિ અને ક્લેશના જનક છે. () સંયમની સાવધાની માટે સાધકે સંયમી જીવનમાં વિકથાઓ, ચક્ષુ ઇન્દ્રિયના પોષણ, ગૃહસ્થોના પ્રપંચ, વાચાલતા વગેરેથી દૂર રહેવું જોઈએ. પાંચમો ઉદ્દેશકઃ(૧) બધી બાજુથી સુરક્ષિત, નિર્મળ, પરિપૂર્ણ જળવાળા હૃદ(દ્રહ) જેવા લોકમાં મુનિ હોય છે. (૨) ઉત્પન્ન થયેલી શંકાઓને જિન વચનની શ્રદ્ધા દ્વારા દૂર કરી દેવી જોઈએ. (૩) “જિનશ્વર કથિતવાણી (તત્ત્વ) હંમેશા સત્ય અને નિઃશંક છે એવો દઢ વિશ્વાસ રાખવો જોઈએ. (૪) સમ્યક અનુપ્રેક્ષા કરનારની બધી ક્રિયાઓ સભ્ય બની જાય છે. (૫) કોઈને દુઃખ આપતી વખતે એ વિચારવું જોઈએ કે, “જો કદાચ આ જગ્યાએ હું હોઉં તો મને કેવો અનુભવ થાય?” આવું વિચારીને મુનિ ત્રણેય કરણ અને યોગ(મન, વચન, કાયા) થી અહિંસક બને. () આત્મા જવિજ્ઞાતા(વિ’ વિશેષ પ્રકારની જાણકારી છે અને આત્મા જ પરમાત્મા છે. આવું સમજનાર અને સમ્યક આચરણ કરનાર જ સાચા અર્થમાં આત્મવાદી અને સમ્યક સંયમી છે. છકો ઉદ્દેશક - (૧) મુનિઓએ જિનાજ્ઞામાં જ સદા લીન રહેવું જોઈએ. (ર) મોક્ષાર્થી સાધકોએ ઇન્દ્રિયોને ગોપવીને આગમ અનુસાર જ પુરુષાર્થ કરવો જોઈએ. (૩) સંસારમાં સર્વત્ર કર્મબંધ અને ભવભ્રમણના જ સ્થાનો છે. તેને (સાધકે) પરિભ્રમણરૂપ માનીને, આ જન્મ-મરણના ચક્રાકાર માર્ગને પાર કરી લેવો જોઈએ. (૪) પરમાત્મ સિદ્ધ અવસ્થા, ભાષા, તર્ક અને મતિથી ગ્રાહ્ય નથી. ત્યાં આકાર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ નથી અને સ્ત્રી કે પુરુષ આદિ અવસ્થાઓ પણ નથી, કર્મબંધન પણ નથી. ફક્ત જ્ઞાતા દેરા અવસ્થા છે. આથી તેની કોઈ ઉપમા પણ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org