________________
ઉપદેશ શાસ્ત્રઃ આચારાંગ સૂત્ર સારાંશ
૧
માટે પુરુષાર્થ કરવા કટિબદ્ધ બને. (૪) કર્મરૂપી જીર્ણકાષ્ટને, તપ સંયમરૂપી અગ્નિમાં શીધ્ર ભસ્મ કરી દેવા જોઈએ. (૫) સાધકોએ દરેક ધર્માચરણ અને તપાચરણ કરતાં તેમાં આત્મ સમાધિની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. (૬) ક્ષણભંગુર જીવનને જાણીને અને સમસ્ત પ્રાણીઓના દુઃખોનો અનુભવ કરીને, પંડિત સાધકોએ કષાયો અને પાપોનો હંમેશાં ત્યાગ કરવો જોઈએ. ચતુર્થ ઉદ્દેશક - (૧) સંયમ અને તપની આરાધના સરલ નથી. આત્મસમાધિની સાથે-સાથે શરીરની સર્વસ્વ આહુતિ આપવાથી જ લક્ષ્યની પુષ્ટિ થાય છે. અતઃ સાધકોએ દરેક અવસ્થામાં પ્રસન્ન રહેવું અને શરીર પ્રત્યેના મમત્વ ભાવોનો ત્યાગ કરવો. (૨) સંયમમાં લીન રહીને લોહી અને માંસને સૂકવી નાખે અર્થાત્ શરીરને કુશ કરીને કર્મોની સમાપ્તિ કરે, તે જ વીર મુમુક્ષુ સાધક છે. (૩) મુનિ કર્મોના વિચિત્ર ફળોને વિચારી, તેનાથી મુક્ત થવાનો હંમેશાં પ્રયાસ કરે. (૪) હંમેશાં વીર પુરુષોના આદર્શોને નજર સમક્ષ રાખીને આત્મવિકાસ કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.
પાંચમા અધ્યયનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક :(૧) સાંસારિક પ્રાણીઓ કારણવશાત્ અથવા વિના કારણે પણ જીવોની ઘાત કરીને પોતે પણ એ જ યોનિમાં જાય છે. (ર) કામભોગ જીવોને ભારેકર્મી બનાવીને સંસારમાં જન્મ-મરણ અને પરિભ્રમણ કરાવે છે અને મુક્તિથી દૂર રાખે છે. તે પ્રાણીઓ મોહથી મૂઢ બની જાય છે. (૩) ચતુર, કુશળ પુરુષ (સાધક) વિષય ભોગોનું સેવન કરતાં નથી. (૪) રૂપમાં આસક્ત બનેલો જીવ વારંવાર કષ્ટ પામે છે. (૫) કેટલાય જીવો આરંભ-સમારંભમાં રમણતા કરે છે અને તેને જ શરણભૂત સમજે છે, પરંતુ વાસ્તવમાં તે અશરણ ભૂત છે. () કેટલાય સાધક પોતાના કષાયો અને દુષ્ટ પ્રવૃત્તિઓને કારણે એકલ વિહારી બનીને કપટ આદિ અવગુણોમાં મુગ્ધ બનીને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) ઘણાં સાધક આત્માઓ મનુષ્યભવને અમૂલ્ય અવસર જાણીને, આરંભ
--
T
+ ,
AS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org