________________
જ ૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત -
(૬) વીતરાગવાણીના અનુભવથી જે સમ્યદ્રષ્ટા બની જાય છે, તેને કોઈ ઉપાધિ રહેતી નથી.
ચોથા અધ્યયનનો સારાંશ
પ્રથમ ઉદ્દેશક :(૧) ધર્મનો સાર જ એ છે કે કોઈપણ નાના-મોટા પ્રાણીઓને, કોઈપણ પ્રકારના દુઃખ, પીડા કે કષ્ટ ન આપવા – એ સર્વજ્ઞોની આજ્ઞા છે. કહાં પણ છે
सब जीव रक्षा, यही परीक्षा, धर्म उसको जानिए ।
जहां होय हिंसा, नहीं संशय, अधर्म उसे पहिचानिए । બધાં પ્રાણીઓ માટે પણ આ જ ધર્મ છે. એવું સમજીને કયારે ય પણ આ અહિંસા ધર્મની ઉપેક્ષા ન કરવી. પરંતુ લોકરુચિનો, લોક સંજ્ઞાનો ત્યાગ કરવો. (૨) મનુષ્યભવમાં પણ જો આ જ્ઞાન ન આવ્યું અને વિવેક ન આવ્યો, તો બીજા ભવોમાં તો તે કેમ શક્ય બનશે? (૩) માટે ધીર સાધક અપ્રમાદ ભાવથી અને હંમેશાં યતનાપૂર્વક કાર્ય કરે. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) વ્યકિતના વિવેક દ્વારા, કર્મબંધની ક્ષણો અને કર્મબંધના કાર્યો પણ સંવર, નિર્જરા અને મોક્ષના હેતુરૂપ બની શકે છે, માટે જ કહેવામાં આવે છે કે “વિવેકમાં ધર્મ છે'. (૨) દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ ઇચ્છાઓને વશ થઈને અસદાચાર દ્વારા અજ્ઞાની જીવ કર્મોનો સંચય કરે છે; ક્રૂર કાર્યો કરીને તેઓ મહાદુઃખી બની જાય છે. (૩) કેટલાક મિથ્યાવાદી હિંસામાં જ ધર્મ માને છે. (૪) જ્ઞાની તેઓને કહે છે કે જેમાં તમને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, તેમ બીજા પ્રાણીઓની પણ આ જ મનોદશા હોય છે, તે સ્પષ્ટ છે. બધા જીવો સુખી રહેવા ઇચ્છે છે. દુઃખ બધાને માટે મહા ભયપ્રદ છે. તો પોતાના સુખને માટે બીજાને દુઃખી કરવા, એ કયારેય પણ ધર્મ હોઈ શકે નહીં. તૃતીય ઉદ્દેશકઃ(૧) જે સંસારી લોકોની રુચિઓનો પ્રવાહ છે, જ્ઞાની તેની હંમેશાં ઉપેક્ષા જ કરે છે અર્થાત્ તે સ્વયં સંસારીઓ જેવા કયારે ય બનતા નથી. (૨) દુઃખોનું મૂળ હિંસા છે અને આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ છે. (૩) ભગવાનની આજ્ઞા પાળનાર મુનિ એકત્વભાવમાં લીન બની, કર્મ ક્ષય કરવા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org