________________
ઉપદેશ શાસ્ત્ર ઃ આચારાંગ સૂત્ર સારાંશ
કરવું તથા હર્ષ અને ક્રોધ પણ ન કરવો.
(ર) પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ આદિ જીવો પ્રત્યે હીનભાવ ન કરતાં આત્મસમ ભાવો રાખવા જોઈએ.
પ
(૩) કેટલાય જીવો ભોગ-વિલાસ અને ઐશ્વર્યને જ સર્વસ્વ માનીલે છે. તેનાથી વિપરીત કેટલાય આત્મ હિતેચ્છુ અણગાર જન્મ-મરણને અને જીવનની ક્ષણ-ભંગુરતાને જાણે છે અને દરેક વ્યક્તિને પોતાના પ્રાણ પ્રિય હોય છે; એવું પણ તેઓ સમજે છે.
(૪) પોતાના સુખ માટે પ્રાણીઓનો સંહાર કરવો એ આત્મા માટે અહિતકારી છે. (૫) પ્રાપ્ત ધનના વિનાશની પણ અનેક(છ) અવસ્થાઓ હોય છે.
(૬) ધન સંગ્રહ કરનાર જીવ સંસાર સાગરને પાર કરી શકતો નથી. એવું જાણીને સંયમ માર્ગ અપનાવવો અને તેની જિનાજ્ઞા અનુસાર આરાધના કરવી જોઈએ. ચતુર્થ ઉદ્દેશક ઃ
(૧) રોગ ઉત્પન્ન થતાં પ્રાણીને ધન અને પરિવાર હોવા છતાં પણ દુઃખ પોતે જ ભોગવવું પડે છે. છે. તેનો ત્યાગ
(૨) આશાઓ અને સ્વચ્છંદ બુદ્ધિનું આચરણ, એ જ દુઃખનું મૂળ કરીને કર્મશલ્યથી મુક્ત થવું જોઈએ.
(૩) અધિકાંશ જીવો સ્ત્રીસેવનમાં આસક્ત બનીને તે સુખને જ બધું સુખ સમજીને, ભવભ્રમણ અને દુ:ખ પરંપરામાં વૃદ્ધિ કરે છે. ભગવાન કહે છે કે તે સ્ત્રીનું આકર્ષણ જ જીવોને મહામોહિત કરવાનું એક સાંસારિક કેન્દ્ર છે.
પાંચમો ઉદ્દેશક :
(૧) મુનિઓએ નાના-મોટા બધા દોષોને ટાળીને, આહારાદિની ગવેષણા કરી પોતાની ઉદરપૂર્તિ કરવી જોઈએ. પોતાના માટે ક્રય-વિક્રય કરેલા પદાર્થો ન લેવા અને એ સંબંધી ગૃહસ્થ પ્રવૃત્તિઓમાં ભાગ પણ ન લેવો.
(ર) ભિક્ષા માટે જનાર ભિક્ષુ યોગ્ય ગુણોથી સંપન્ન હોવા જોઈએ અને લોભ તેમજ આસક્તિથી મુક્ત રહેનાર હોવા જોઈએ.
(૩) મુનિ, રૂપ આદિમાં આસક્ત ન બને અને કામભોગોના દારુણવિપાકને સમજીને હંમેશા તેના પર વિજય પ્રાપ્ત કરતાં થકા વિચરે.
(૪) મુનિ આંતરિક રીતે અને બાહ્ય રીતે સમાન સ્વભાવથી વર્તે અને શરીરની બહાર તેમજ અંદર બધા અશુચિ પદાર્થો જ ભર્યા છે, તેમ ચિંતવીને સદાયને માટે વિષય-ભોગોથી દૂર રહે.
(૫) સંસારના જીવોની માયા, આસકિત અને આરંભ-સમારંભ જેવી પ્રવૃત્તિઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org