________________
: પદ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
હેતુથી લોકો તેમની હિંસા કરે છે અને કેટલાયે લોકો વૈરભાવથી અથવા નિરર્થક રીતે કે ભયને કારણે પણ તેમની હિંસા કરે છે. (૮) છ કાયમાં વાયુકાયને આપણે જોઈ શક્તા નથી અન્ય કાયોની અપેક્ષાએ વાયુકાયની વિરાધનાનો સંપૂર્ણ ત્યાગ કરવો અધિક દુષ્કર છે. તેથી એનું કથન અંતિમ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. (૯) આ છ કાયોનું સ્વરૂપ સમજીને જે એની વિરાધનાનો ત્યાગ કરી તેનું પાલન કરતા નથી, તે કર્મ બંધની વૃદ્ધિ કરે છે.
-
-
બીજા અધ્યયનનો સારાંશ
પ્રથમ ઉર્દેશક :(૧) શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શની ઇચ્છા તેમજ તેની પ્રાપ્તિ અને આસક્તિ યુક્ત તેનો ઉપભોગ; એ જ સંસારની જડ (મૂળ) છે. (૨) એમાં આસક્ત જીવ સાંસારિક સંબંધી મોહની વૃદ્ધિ કરી, તેમના માટે રાત-દિન અનેક દુઃખો વેઠીને ધન અને કર્મનું ઊપાર્જન કરી સંસારની વૃદ્ધિ કરે છે. (૩) શરીરની શકિત, ઇન્દ્રિયોનું તેજ, અને પુણ્ય ક્ષીણ થાય પછી અથવા વૃદ્ધાવસ્થા આવ્યા પછી આ જીવની ખૂબ જ દુર્દશા થાય છે અને તે પોતાના જ કર્મો અનુસાર, દુઃખી થાય છે. (૪) ધન-યૌવન અસ્થિર છે. સંસારના બધા જ સંગ્રહિત પદાર્થોને છોડીને જવું પડશે. તે સમયે આ પદાર્થ દુખ અને મોતથી મુક્ત કરાવી શકશે નહીં. (૫) માટે અવસરને સમજીને આ મનુષ્યભવમાં ઇન્દ્રિય અને શરીરની સ્વસ્થતા રહે ત્યાં સુધી જાગૃત રહીને આત્મ-પ્રયોજનની (આત્માર્થની) સિદ્ધિ હસ્તગત કરી લેવી જોઈએ. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) સાધના કાળમાં પરીષહ ઉપસર્ગ, લોભ, કામનાઓ આદિ ઘણી પરિસ્થિતિઓ આવે છે, તેમાં સાવધાન થઈને રહેવું જોઈએ. હંમેશા સાંસારિક જીવોની દુર્દશાના દશ્યોને આત્મભાવમાં ઉપસ્થિત રાખવા જોઈએ. (ર) સાંસારિક જીવ અનેક હેતુઓથી અને લોકોને પોતાના બનાવવા માટે પાપ કરતા રહે છે પરંતુ અંતમાં અસહાય બનીને કર્મવશ થઈ દુર્ગતિ પ્રાપ્ત કરીને બંને ભવ બગાડે છે. તૃતીય ઉદ્દેશકઃ(૧) બધા જ જીવો સમાન છે. આથી કયારેય પણ ગોત્ર આદિનું અભિમાન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org