________________
પ૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
તથા તેના પરિણામમાં પ્રાપ્ત થતી દશાઓને જોઈને અને તેનું ચિંતન કરીને મુનિ સંયમ જીવનમાં તલ્લીન રહે. છકો ઉદ્દેશક – (૧) સંયમ અંગીકાર કર્યા પછી કોઈપણ પ્રકારની પાપકારી ક્રિયાઓનું આચરણ ન કરવું જોઈએ. સુખાર્થી, લોલુપ સાધક કયારેક કયારેક વ્રતોની વિરાધના કરી નાખે છે અને તે પશ્ચાત્તાપ સાથે ભ્રમણ કરે છે. (ર) મારાપણાના ભાવ, કયાંય, કોઈપણ વસ્તુમાં ન રાખતાં સંયમ માર્ગમાં આગળ વધવું જોઈએ. (અર્થાત્ મમત્વનો ત્યાગ કરવો અતિ આવશ્યક છે) (૩) વીર સાધકે કયારેય પણ રતિ-અરતિ અર્થાત્ હર્ષ-શોક ન કરવો. (૪) ઇન્દ્રિયોના વિષય તરફ તથા જીવન તરફ હંમેશાં નિર્લેપ ભાવ રાખવા. (૫) જે અન્યને આત્મવત્ જાએ છે, એ જ મહાત્મા પરમાત્મા બની શકે છે. (૬) મુનિ અમીર અથવા ગરીબને સમાન ભાવે અને તેની રુચિ પ્રમાણે ધર્મ ઉપદેશ આપે. (૭) શ્રોતાના કષાયમાં વૃદ્ધિ અને કર્મબંધન ન થાય પરંતુ તેના ગુણોમાં વૃદ્ધિ થાય; એવી સૂઝ-બૂઝથી ધર્મોપદેશ આપવો જોઈએ. (૮) સાધક આત્માએ લોકસંજ્ઞા અને હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
ત્રીજ અધ્યયનનો સારાંશ
પ્રથમ ઉદ્દેશક - (૧) મુનિ હંમેશાં ભાવોથી જાગૃત રહે છે. (૨) શબ્દાદિ ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરનાર જ વાસ્તવમાં આત્માર્થી, જ્ઞાની, શાસ્ત્રજ્ઞ, ધર્મ, બ્રહ્મચારી મુનિ અને ધર્મજ્ઞ છે. પરીષહ, ઉપસર્ગ સહન કરનાર અને હર્ષ-શોક નહીં કરનાર જ સાચો નિગ્રંથ છે. (૩) પ્રજ્ઞાવાન વ્યક્તિએ એ સમજવું જોઈએ કે બધાં દુઃખોનું મૂળ પાપકારી પ્રવૃત્તિઓ છે. માયી(ચાર કષાયવાળા) અને પ્રમાદી (પાપનું સેવન કરનાર) દુર્ગતિમાં જાય છે. (૪) શબ્દાદિ વિષયોમાં ઉપેક્ષા ભાવ રાખનાર સાધક મરણથી મુક્ત થાય છે. (૫) હિંસાદિ પાપોનું પરિપૂર્ણ જ્ઞાન ધરાવનાર જ વાસ્તવમાં સંયમનો સાચો જાણકાર (જ્ઞાતા) છે. () સંસાર ભ્રમણની સંપૂર્ણ ઉપાધિઓ (વ્યાધિઓ) કર્મોથી જ ઉત્પન્ન થાય છે અને કર્મોનું મૂળ હિંસા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org