________________
આ ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
ર૯,
૮
એટલે કે જેનો સંયમ દૂષિત બની જાય છે, તે દુર્ગતિથી બચી શકતો નથી. તેથી સાધુ થવા છતાં તે અનાથ છે.
સૂત્રમાં આવા સાધુની નગ્નતા, મુંડન આદિપ્રવૃતિઓને મોક્ષમાર્ગની સાધનામાં મહત્વહીન નિરર્થક બતાવી છે, કાચના ટુકડાની સમાન ખોટી બતાવી છે. એવા સંયમપ્યુત સાધકોને બન્ને લોકમાં સંક્લેશ પ્રાપ્ત કરનારા અને કર્મક્ષય નહીં કરનારા બતાવ્યા છે.
જે રીતે વિષ પીવું, ઉર્દુ શસ્ત્ર ગ્રહણ કરવું અને અવિધિથી યક્ષને (દેવને) સાધવો દુઃખદાયી નીવડે છે, તે જ રીતે સંયમની વિધિથી વિપરીત આચરણ તે સાધકનું હિત કરી શકતું નથી.
આ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરવો તે પહેલી સનાથતા છે અને સંયમ ગ્રહણ કર્યા પછી જિનાજ્ઞાનું પ્રામાણિકપણે યથાર્થ પાલન કરવું બીજી સનાથતા છે. બન્ને પ્રકારની સનાથતા ધારણ ક્યા પછી જ જીવન સફળ અને આરાધક બને છે.
C[lી
એકવીસમું અધ્યયન : સમુદ્રપાલમુનિ HિD
પ્રાસંગિક – જૈન દર્શનના જાણકાર(પારંગત) પાલિત શ્રાવકને સમુદ્રપાળ નામનો પુત્ર હતો. એક વખત સમુદ્રપાલે પોતાના ભવનમાં બેઠા-બેઠા ચોરને મૃત્યુદંડ માટે લઈ જતાં જોયો. તેના અશુભ કર્મોનાં કડવા ફળોનું ચિંતન કરતાં-કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ સ્વીકાર્યો. અંતમાં કર્મ ક્ષય કરી નિર્વાણ પામ્યા.
(૧) મુનિ ત્રણ-સ્થાવર બધા જીવો પ્રત્યે અનુકંપા રાખે. સાવધ યોગોનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરે. (૨) પોતાના બળને જાણીને મુનિ સંયમમાં વિચરણ કરે અને તપ ધારણ કરે. (૩) સિંહની સમાન સદા નિર્ભય બની વિચરે. (૪) પરીષહોને સમ્યક પ્રકારે સહન કરી કર્મ ક્ષય કરે પરંતુ કિંચિત્માત્ર પણ ગભરાય નહીં. (૫) આશ્રવનો સદા નિરોધ કરે. અકિંચન અને અમમત્વી બને.
'બાવીસમું અધ્યયનઃ અરિષ્ટનેમિાં
પ્રાસંગિક – બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ પોતાના વિવાહ પ્રસંગે જાન લઈને જતાં માર્ગમાં પશુઓના કરુણ પોકાર સાંભળી તુરત જ પાછા વળ્યા. એક વર્ષ સુધી દાન આપી સંયમ સ્વીકાર કર્યો. યથાસમયે અરિષ્ટનેમિ ભગવાનના ભાઈ રથનેમિ અને સતી રાજમતીએ પણ સંયમ અંગીકાર કર્યો. એકવાર વરસાદમાં ભીંજાઈ જતાં સતી રાજમતી એક ગુફામાં વસ્ત્ર સૂકવવા ગયાં. તે જ ગુફામાં ધ્યાનસ્થ રહેલા રથનેમિની દષ્ટિ નગ્ન રાજમતિ ઉપર પડતાં સંયમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org