SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ . ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ o ૪. રેતીના કવલ ચાવવા સમાન છે. ૫. તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે. ૬. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા સમાન છે. ૭. પ્રદીપ્ત અગ્નિશિખાને પીવા સમાન છે. ૮. કપડાની થેલીને હવાથી ભરવા સમાન છે. ૯. મેરુપર્વતને ત્રાજવાથી તોળવા સમાન છે. ' અર્થાત્ ઉપરના બધા જ કાર્યો દુષ્કર છે. તેની સમાન સંયમ પાળવો પણ અત્યંત દુષ્કર છે. (૧૩) અગ્નિની ઉષ્ણતા કરતાં પણ નરકની ગરમી અનંત ગુણી છે. અહીંની ઠંડીથી નરકની ઠંડી અનંતગુણી છે. જ્યાં નારકીને વારંવાર ભેજવામાં આવે છે; કરવતથી કાપવામાં કે ટુકડા કરવામાં આવે છે; મુર્ગારોથી માર મારવામાં આવે છે; તીણ કાંટાઓમાં ઢસેડવામાં આવે છે; ઘાણીમાં પીલવામાં આવે છે, છેદનભેદન કરવામાં આવે છે; બળપૂર્વક ઉષ્ણ જાજ્વલ્યમાન રથમાં જોતરવામાં આવે છે; તૃષા લાગતાં તીણ ધારવાળી વૈતરણી નદીમાં નાખવામાં આવે છે; ઉકાળેલ લોઢું, સીસું, તાંબુ પીવડાવવામાં આવે છે. (૧૪) “તમને માંસ પ્રિય હતું, એમ ક્લી અગ્નિ સમાન પોતાના જ માંસને લાલચોળ કરી પકાવી નારકીને ખવડાવવામાં આવે છે. ‘તમને વિવિધ મદિરા ભાવતી હતી,” એમ કહી ચરબી અને લોહી ગરમ કરી નારકીને પીવડાવે છે. નરકમાં કેટલીકવેદના પરમાધામી દેવકૃત હોય છે. વૈક્રિય શરીર અને દીર્ઘ આયુષ્ય હોવાથી નારકી જીવો મરતા નથી. રાઈ જેટલા ટુકડા કરવામાં આવે છતાં પારાની સમાન તેમનું શરીર પુનઃ સંયુક્ત થઈ જાય છે. આ પ્રકારે અહીં બતાવ્યું છે કે સંયમના કષ્ટથી અનંતાધિક નરકમાં દુઃખો છે.(જે પરવશતા અને અનિચ્છાએ જીવ સહન કરીને આવ્યો છે.] (૧૫) મુનિ જીવનમાં રોગનો ઉપચાર ન કરવો તે પણ એક સિદ્ધાંત છે. તેના માટે મૃગ-પશુનું દષ્ટાંત આપી સમજાવ્યું છે કે પશુને રોગ આવતાં આહારનો ત્યાગ કરી વિશ્રામ કરે છે અને સ્વસ્થ થયા પછી જ આહાર ગ્રહણ કરે છે. મુનિ પણ રોગ આવતાં મૃગની જેમ સંયમારાધના કરે. (૧૬) મુનિ લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ નિન્દા-પ્રશંસા, માન-અપમાનમાં સદા સમાન ભાવ રાખે, હાસ્ય-શોકથી દૂર રહે, ચંદન વૃક્ષની સમાન ખરાબ કરનારનું પણ ભલું જ કરે, તેના પ્રતિ શુભ હિતકારી અધ્યવસાય રાખે. (૧૭) અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, ધન દુખોની વૃદ્ધિ કરાવનારું છે. મમત્વ બંધન મહાભયને પ્રાપ્ત કરાવનારું છે. ધર્માચરણ- વ્રત, મહાવ્રત ધારણ કરવાથી અનુત્તર સુખોની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy