________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આચારોનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. છેલ્લે મૃગાપુત્ર આજ્ઞા પ્રાપ્ત કરી, સંયમ સ્વીકારી એકલા જ વિચરણ કરી, સંયમ-તપની ઉત્કૃષ્ટ આરાધના કરી, એક માસનું અનશન કરી ને, સર્વકર્મોનો ક્ષય કરી મુક્ત થયા.
ર
(૧) જાતિ સ્મરણ જ્ઞાન અધ્યવસાયોની શુદ્ધિ યુક્ત અનુપ્રેક્ષાથી અને જ્ઞાનાવરણીય તેમજ મોહનીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનથી પૂર્વના નિરંતર સંશીઅવસ્થાના ૯૦૦ ભવોનું, તેમજ તે ભવોના આચરણનું અને સંયમ વિધિઓનું જ્ઞાન થઈ શકે છે. તેથી સ્વતઃ જીવને ધર્મબોધ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. (૨) કામભોગ કિંપાક ફળ સમાન ભોગવવામાં(સેવન કરતી સમયે)સુંદર અને મિષ્ટ લાગે છે પણ તેનું પરિણામ કટુ છે અર્થાત્ દુઃખદાયી છે.
(૩) આ શરીર અનિત્ય, અશુચિમય, અશાશ્વત અને ક્લેશનું ભાજન છે. તેને પહેલાં કે પછી અવશ્ય છોડવું જ પડશે. પાણીના પરપોટાની સમાન આ જીવન ક્ષણભંગુર છે.
(૪) સંસારમાં જન્મ, જરા, રોગ અને મરણ એ ચાર મહા દુઃખ છે. બાકી તો આખોય સંસાર દુ:ખમય છે.
(૫) સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી ભાતું લીધા વિના પ્રવાસ કરનારા જીવ રોગ આદિ દુ:ખોથી પીડિત થાય છે.
(૬) સમસ્ત પ્રાણિઓ પ્રત્યે કે વેરવિરોધ રાખનારાઓ પ્રત્યે પણ સમતાભાવ ધારણ કરવા રૂપ અહિંસાનું પૂર્ણ પાલન કરવું દુષ્કર છે.
(૭) સદા અપ્રમત્ત ભાવે, હિતકારી અને સત્ય ભાષા ઉપયોગપૂર્વક બોલવી દુષ્કર છે.
(૮) પૂર્ણ રૂપે અદત્તને ત્યાગી નિર્વધ અને એષણીય આહારાદિ ગ્રહણ કરવા કઠિન છે.
(૯) સમસ્ત કામભોગોનો ત્યાગ કરવો અને વિવિધ સંગ્રહ પરિગ્રહનો તેમજ તેના મમત્વનો પરિત્યાગ કરવો અતિ દુષ્કર છે.
(૧૦) રાત્રિ ભોજનનો ત્યાગ કરવો અને ખાદ્ય પદાર્થ કે ઔષધ ભેષજનો સંગ્રહ ન કરવો સુદુષ્કર છે.
(૧૧) બાવીસ પરીષહ સહેવા, લોચ કરવો તથા વિહાર કરવો અતિ કષ્ટમય છે. (૧૨) જીવનભર જાગૃતિ પૂર્વક આ બધા જ સંયમ ગુણોને ધારણ કરવા એટલે.... કે તે–
૧. લોખંડનો મોટો બોજ કાયમ ઉપાડી રાખવા સમાન છે.
૨. ગંગાનદીના પ્રતિસ્રોતમાં ચાલવા સમાન છે.
૩. ભુજાઓથી સમુદ્ર પાર કરવા સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org