________________
૧૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૩૪) પ્રથમ પ્રહરના આહાર પાણીની સૂક્ષ્મ-સૂક્ષ્મતર સંઘટ્ટાની પરંપરા સ્વીકારવી.
(૩૫) સાધુના ઉપાશ્રયમાં દિવસમાં પણ અમુક સમય સિવાય બહેનોએ, સાધ્વીઓએ બેસવું નહિ.
(૩૬) સંત સતિઓએ સાથે કે એક દિશામાં વિહાર ન કરવો, એક દિશામાં સ્થંડિલ ન જાવું.
(૩૭) ફૂંકવું કે હવા કરવી(વીંજવું) એ બે કાર્યોના નિષેધ ઉપરાંત અન્ય અનેક નિયમ અને મર્યાદાઓ બતાવવામાં આવે.(આગમ અનુસાર એ બે કાર્યો સિવાય યત્નાપૂર્વક કોઈપણ પ્રવૃત્તિ કરવી વાયુ કાયના સંબંધી નિષિદ્ધ નથી.) (૩૮) રજોહરણની ડાંડી પર વસ્ત્ર હોવું આવશ્યક છે. પૂંજણી અને ડંડા વગેરે પર નહિ.
(૩૯) ઉપાશ્રયમાં રાતમાં ગૃહસ્થ એક તરફ પોતાને આવશ્યક પાણી રાખી શકે છે પરંતુ વિજળીના બલ્બ વગેરે સીડીમાં થોડીવાર માટે પણ જલાવવા નહિ. (આગમમાં તો ‘રાત્રીભર જ્યાં અગ્નિ કે દીપક જલતા હોય ત્યાં રહેવું નહિ, એવું વિધાન છે.)
(૪૦) પરિસ્થિતિવશ પણ કયારેય શલ્ય ચિકિત્સા(ઓપરેશન) કરાવવી જ નહિ પરંતુ તેવી પરિસ્થિતિમાં પુનઃ ગૃહસ્થ બની જવું.[દિગંબર જૈન અને કચ્છમાં નાનીપક્ષ
(૪૧) ઉપવાસમાં જ દીક્ષા આપવી, અર્થાત્ દીક્ષાના દિવસે ઉપવાસ હોવો જ જોઈએ. દિગંબર જૈન
(૪૨) રેફ્રિજરેટર માંથી વસ્તુ બહાર કાઢેલી પડી હોય તે પણ અત્યંત ઠંડી હોય તો નહિ લેવી. ફીજનો બહારથી પણ સંઘટો માનવો. આઈસ્ક્રીમને ચિત્ત માનવો. (૪૩) બહેનોએ પ્રાર્થનામાં સાધુ કે ભાઈઓ સાથે નહિ બોલવું.
(૪૪) શ્બ્દથી વધારે આગળની તપસ્યામાં રાખનું પણ ધોવણ પીવાનું કલ્પતું નથી. (૪૫) ઘરમાં એકલી સ્ત્રી હોય તો ત્યાં એકલા સાધુએ ગોચરીએ જવું નહિ. તેરાપંથ જૈન
(૪૬) સાધ્વીઓએ મસ્તક આગળના વાળ કપડાથી બાંધીને રાખવાં.
એ નિયમોનો આગમિક કોઈ સ્પષ્ટ પાઠ ઉપલબ્ધ નથી. કેટલાક વ્યક્તિગત વિચારોથી અને કેટલાક અર્થ પરંપરાથી અથવા નવા અર્થની ઉપજથી સમયે સમયે બનાવવામાં આવેલી સમાચારીરૂપ છે તેમાં કેટલાક સામાન્ય સાવધાની રૂપ છે, કેટલાક અતિ સાવધાનીરૂપ છે.
એ નિયમોના બનવા બનાવવામાં મુખ્ય લક્ષ્ય પ્રાયઃ સંયમ સુરક્ષાના અને આગમોક્ત નિયમોના પાલનમાં સહયોગ સફળતા મળતી રહે, એવો છે. તેના પાલન કે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International