________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૧ઃ શિથિલાચાર-શુદ્ધાચાર
૧૦
(૨૧) ધાતુની કોઈ વસ્તુ પોતાની પાસે રાખવી નહિ. ચશ્મા વગેરેમાં ધાતુની ખીલી (રીવેટ) પણ ન જાઈએ. બાજોટ કબાટ ધાતુના હોય તો પણ કામમાં લઈ શકાય છે. પડિહારી (પાઢિયા) પુસ્તકમાં ધાતુ હોઈ શકે છે. (રર) સીસાની બનેલી હોવાથી પેન્સિલ અને તેનાથી લખેલ અક્ષર પણ પાસે રાખવા નહિ.હુકમ ગચ્છ (૨૩)માટીના પાત્ર, માટલી વગેરે પણ પડિહારા (પાઢીયારા) લેવા નહીં. (ર૪) ઘરમાં પહોંચતા સમયે જે વ્યક્તિ 'અસૂઝતો હોય, પછી તે 'સૂઝતો પણ થઈ જાય તો પણ તેના મદદ કરવા પર કે બોલવા પર પછી દિવસભર ત્યાંથી કંઈ લેવું નહિ. (૨૫) ઘણી મોટી જાજમ, ચઢાઈ વગેરેની ઉપર સચિત્ત આદિનો સંઘટ્ટો માનવો. (ર) કેટલાક ફળ, મેવા અચિત અને નિર્દોષ હોય તો પણ લેવા નહિ. બદામ, પિસ્તા વગેરેના અચિત ટુકડા પણ લેવા નહીં. બિસ્કિટ, પીપરમેન્ટ, ડબલ રોટી વગેરે લેવા નહીં. (૨૭) સાધુએ એકલા નહિ વિચરવું અને સાધ્વીએ બે હોય તો નહિ વિચરવું (આચાર્ય ઉપાધ્યાયે એકલા વિચરવાનો અને સાધ્વીએ એકલા વિચરવાનો તથા પ્રવર્તિનીએ બે થી વિચરવાનો આગમમાં સ્પષ્ટ નિષેધ છે. એ સિવાય કોઈપણ એકાંત નિષેધ આગમમાં નથી.) (૨૮) હંમેશા દેવસીય પ્રતિક્રમણમાં ધર્મધ્યાનના ભેદોનું ચિંતન અને રાત્રિના પ્રતિક્રમણમાં તપ ચિંતન પાંચમાં આવશ્યકમાં કરવું. કાયોત્સર્ગમાં લોગસ્સપાઠ કરવો નહિ. (૨૯) ચોવીસ કલાક મુહપત્તિ બાંધી રાખવી અથવા હાથમાં રાખવી કે દોરા વિના બાંધવી (ઉઘાડે મુખે બોલવાથી સાવધ ભાષા ગણાય છે એટલું જ આગમમાં છે. ભ. શ૦–૧૬ ઉ૨) બાંધવા ન બાંધવાની વાત આગમમાં નથી કિત સાવધ ભાષાથી બચવા માટે બોલતા સમયે અને લિંગ માટે યથાસમય મુખવસ્ત્રિકા બાંધવી આવશ્યક હોય છે, એમ સમજવું જોઈએ. (૩૦) દોરી કે દોરી પરના કપડા હલે તો ઘર 'અસૂઝતું કરવું. (૩૧) પ્લાસ્ટીકની થેલી કે કાપડ વગેરે રાખવા નહિ. (૩૨) પ્રવાહી શાહી વગેરે (અખાદ્ય) પદાર્થ પણ રાતમાં પોતાની પાસે રાખવા નહિ. (જ્યારે કે તે પાણીના અંશમાં પેય ગુણ રહેતો જ નથી. પરિણામોતર પ્રાપ્ત થયેલ છે.) (૩૩) ચાતુર્માસમાં બેડેજ(પાટા પડી) ની પટી ન લેવી(જ્યારે કે તે કપડું તો ઔષધરૂપમાં પરિણત થઈ જાય છે.) તેમજ રૂ, દોરા વગેરે પણ લેવા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org