________________
૧૬૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
૩. પ્રકૃતિ સૌમ્ય- શાંત, દાંત, ક્ષમાવાન અને શીતલ સ્વભાવી હોય. ૪. લોકપ્રિય ઈહલોક પરલોકના વિરુદ્ધ કાર્ય કરવાવાળો ન હોય. ૫. અક્રૂર-દૂરતા રહિત, સરળ તેમજ ગુણગ્રાહી હોય. . ભી– લોકાપવાદ, પાપકર્મ તેમજ અનીતિથી ડરવાવાળો હોય. ૭. અશઠ– ચતુર તેમજ વિવેકવાન હોય. ૮. સુદક્ષિણ– વિચક્ષણ તેમજ અવસરનો જાણકાર હોય. ૯. લજ્જાળુ- કુકર્મો પ્રત્યે લજ્જાશીલ હોય. ૧૦. દયાળુ- પરોપકારી તેમજ બધા જીવો પ્રત્યે દયાશીલ હોય. ૧૧. મધ્યસ્થ- અનુકૂળતા, પ્રતિકૂળતામાં સમભાવ રાખવાવાળો હોય. ૧૨. સુદષ્ટિ– પવિત્ર દષ્ટિવાળો હોય. ૧૩. ગુણાનુરાગી– ગુણોનો પ્રેમી તેમજ પ્રશંસક હોય. ૧૪. સુપક્ષયુક્ત– ન્યાય અને ન્યાયીનો પક્ષ લેવાવાળો હોય. ૧૫. સુદીર્ઘદૃષ્ટિ– દૂરગામી દષ્ટિવાળો હોય. ૧૬. વિશેષજ્ઞ– જીવાદિ તત્ત્વોનો તેમજ હિતાહિતનો જ્ઞાતા હોય. ૧૭. વૃદ્ધાનુગ– ગુણવૃદ્ધ તેમજ વયોવૃદ્ધનો આજ્ઞાપાલક હોય. ૧૮. વિનીત– ગુણીજનો, ગુરુજનો પ્રત્યે વિનમ્ર હોય. ૧૯. કૃતજ્ઞ– કરેલા ઉપકારને ભૂલવાવાળો ન હોય. ૨૦. પરહિત કર્તા- મન, વચન, કાયાથી બીજાઓનું હિત કરવાવાળો હોય. ર૧. લબ્ધલક્ષ્ય-લક્ષ્ય પ્રાપ્તિને માટે અધિકાધિક શાસ્ત્રોનું જ્ઞાન કરવાવાળો હોય. નોટ – અલગ-અલગ અપેક્ષાથી શ્રમણોએ ભિન્ન-ભિન્ન પ્રકાર ૨૧ ગુણોનું સંકલન કર્યું છે. આ પુષ્પમાં કુલ ૪ પ્રકારથી ૨૧ ગુણોનું સંકલન આપ્યું છે.
શ્રાવકાચાર સંબંધી પરિશિષ્ટો સંપૂર્ણ
આ શ્રાવકાચાર પ્રકરણમાં સ્વાધ્યાયીઓને કોઈપણ જિજ્ઞાસા વિચારણા ઉત્પન્ન થાયતો રાજકોટના સંપર્કસૂત્ર ઉપર પત્રવ્યવહાર અવશ્ય કરવો.
જીગ્નેશ બી. જોશી
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org