________________
૧૫૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
(૧૭) વ્યાપારને ઘટાડે, સાંસારિક પ્રવૃત્તિઓથી ક્રમશઃ નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે. (૧૮) ઉદાસીન વૃત્તિની, વૈરાગ્યની તેમજ ત્યાગ પચ્ચક્કાણની વૃદ્ધિ કરે. (૧૯) ૧. રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ કરે, ૨. જમીનકંદ– અનંતકાય આદિનો હંમેશાં ત્યાગ કરે, ૩. સચિતનો સર્વથા ત્યાગ કરે, ૪. કર્માદાનનો સર્વથા ત્યાગ કરે, તેમજ ૫. મિથ્યાત્વમય પ્રવૃત્તિનો ત્યાગ કરે. આ પાંચ પચ્ચખાણ કરવા માટે શ્રાવકે હંમેશા પ્રયત્નશીલ બનવું જોઈએ. (૨૦) નિવૃત્તિમય સાધનાનો અવસર પ્રાપ્ત કરીને આનંદાદિ શ્રાવકની જેમ પૌષધશાળામાં રહીને શ્રાવક પ્રતિમાઓની આરાધના કરે. અવસર પ્રાપ્ત થવા પર સંયમ ગ્રહણ કરવાની તૈયારી રાખે. (૨૧) ત્રીજા મનોરથને પૂર્ણ કરવાનો અવસર જાણીને સાવધાની પૂર્વક સ્વતઃ સંથારાનો, પંડિત મરણનો સ્વીકાર કરે. દ્વિતીય પ્રકારે ર૧ ગુણો - ૧. શ્રાવક નવ તત્ત્વ, રપ ક્રિયાના જાણકાર હોય. ૨. ધર્મની કરણીમાં કોઈની સહાય વાંછે નહી. ૩. કોઈના દ્વારા ચલાયમાન કરવા છતાં ધર્મથી ચલિત થાય નહીં. ૪. જિનધર્મમાં શંકા, કાંક્ષા, વિતિગિચ્છા કરે નહીં. ૫. તદ્ધિવા, હિચ, છિયા, વિચ્છિયા હોય, જે સૂત્ર-અર્થરૂપ જ્ઞાનને ધારણ કર્યું છે તેનો નિર્ણય કરે, પ્રમાદ કરે નહીં. ૬. હાડ-હાડની મજ્જામાં ધર્મના રંગથી રંગાયમાન રહે. ૭. મારું આયુષ્ય અસ્થિર છે, જિનધર્મ સાર છે, એવી ચિંતવના કરે. ૮. સ્ફટિક રત્ન જેવા નિર્મળ રહે, કૂડ-કપટ રાખે નહિ. ૯. ઘરના દરવાજા દાન માટે સદાય ખુલ્લા રાખે. ૧૦. મહિનામાં છ-છ પૌષધ કરે; બે આઠમ, બે ચૌદસ, બે પાખી. ૧૧. શ્રાવકજી રાજાનાં અંતઃપુરમાં, રાજાના ભંડારમાં કે સાહુકારની દુકાનમાં જાય તો પ્રતીતકારી હોય. ૧૨. ગ્રહણ કરેલા વ્રત પ્રત્યાખ્યાન નિર્મળ પાળે, દોષ લગાડે નહીં. ૧૩. ચૌદ પ્રકારના નિર્દોષ પદાર્થ સાધુ-સાધ્વીને વહોરાવે. ૧૪. ધર્મનો ઉપદેશ આપે, પ્રમાદ કરે નહીં. ૧૫. શ્રાવકજી સદા ત્રણ મનોરથનું ચિંતન કરે, પ્રમાદ કરે નહીં. ૧૬. ચારે તીર્થના ગુણગ્રામ કરે, અન્યતીર્થના ગુણગ્રામ કરે નહીં. ૧૭. નવા સૂત્ર-સિદ્ધાંત સાંભળે પરંતુ પ્રમાદ કરે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org