SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પર આરંભિકી આદિ પાંચ ક્રિયા - ૧. આરંભિકી– હિંસાની પ્રવૃત્તિ અને સંકલ્પથી. ૨. પરિગ્રહિકી– કોઈમાં પણ મોહ મમત્ત્વ રાખવાથી. ૩. માયાપ્રત્યયા– ક્રોધ, માન, માયા, લોભ, કરવાથી અથવા તેના ઉદયથી. ૪. અપ્રત્યાખ્યાનિકી– પદાર્થોનો અથવા પાપોનો ત્યાગ ન કરવાથી. પ.મિથ્યાત્વ– ખોટી માન્યતા તેમજ ખોટી શ્રદ્ધા, પ્રરૂપણાથી.– ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર. દષ્ટિજા આદિ આઠ ક્રિયા:૧. દષ્ટિજા– કોઈપણ પદાર્થને જોવાથી. ૨. સ્પર્શા– કોઈપણ ચીજનો સ્પર્શ કરવાથી. ૩. નિમિત્તિકી– કોઈ વસ્તુ અથવા વ્યક્તિના સંબંધમાં વિચારવા, બોલવાથી અથવા સહયોગ કરવાથી. ૪. સામાન્તોપનિપાતિકી– પ્રશંસાની ઇચ્છાથી અથવા પ્રશંસા કરવાથી. ૫. સ્વસ્તિકી– પોતાના હાથથી કાર્ય કરવાથી. ૬નેસૃષ્ટિકી– કોઈ પણ વસ્તુ ફેંકવાથી. ૭. આજ્ઞાપનિકી– કોઈ પણ કાર્યની આજ્ઞા દેવાથી. ૮. વિદારણી- કોઈ વસ્તુને ફાડવા-તોડવાથી. –ઠાણાંગ સૂત્ર. અનાભોગ આદિ સાત ક્રિયા:૧. અણાભોગ– અજાણપણે પાપ પ્રવૃત્તિ થવાથી. ૨. અનવકાંક્ષા– ઉપેક્ષાથી, બેપરવાહ વૃત્તિથી. ૩. પ્રેમ પ્રત્યયા– કોઈ પર રાગ ભાવ કરવાથી. ૪. દ્વેષ પ્રત્યયા- કોઈપર દ્વેષ ભાવ કરવાથી. ૫. પ્રયોગ–પ્રત્યયા- મન, વચન, કાયાની પ્રવૃત્તિઓથી. ૬. સામુદાનિકી- સામુહિક પ્રવૃત્તિઓથી તેમજ ચિંતનથી. ૭. ઈર્યાપથિકી– વીતરાગી ભગવાનને યોગ પ્રવૃત્તિથી. –ઠાણાંગ સૂત્ર આ પ+૫+૮+ = પચ્ચીસ ક્રિયાઓમાં સૂક્ષ્મ, અતિસૂક્ષ્મતેમજ વિભિન્ન પ્રકારની સ્કૂલ બધી ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે. વીતરાગી આત્માઓ પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં ફક્ત ૨૫મી ક્રિયાજ લાગે છે બાકી સંસારી જીવન ઉપર કહેલ ૨૪ ક્રિયાઓમાંથી કોઈપણ ક્રિયા લાગતી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy