________________
આ ઉપદેશ શાસ્ત્ર પરિશિષ્ટ-૫ નવ તત્ત, પચ્ચીસ કિયા ૧પપ . (૨) અજીવ - જીવ સિવાયના લોકના સમસ્ત પદાર્થનો અજીવ તત્ત્વમાં સમાવેશ થાય છે. તે રૂપી, અરૂપી બંને પ્રકારના હોય છે. જીવોએ છોડેલું શરીર આદિ રૂપે પણ હોય છે તથા પુદ્ગલના અન્ય વિવિધ રૂપે પણ હોય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય પણ અરૂપી અજીવ રૂપ છે. તેમાં ચેતના લક્ષણ હોતું નથી. અજીવ સ્વેચ્છાએ ગમનાગમન કરતા નથી. પરપ્રયોગથી અને સ્વભાવથી પુદ્ગલોની ગતિ હોય છે. સ્થૂલ દષ્ટિથી જીવ અજીવ એ દ્રવ્યોમાંજ સમસ્ત પદાર્થો નો સમાવેશ થઈ જાય છે. (૩) પુણ્ય – નાના મોટા કોઈપણ જીવ, જંતુ, પ્રાણીને સુખ પહોંચાડવું ભૌતિક શાંતિ સુવિધા આપવી તે પુણ્ય છે. અર્થાત્ મન વચન કાયાથી સુખ પહોંચાડવું, સત્કાર, સન્માન, નમસ્કારથી મનોજ્ઞ વ્યવહાર કરવો, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, બિછાના આદિ દઈને સુખ પહોંચાડવું પુણ્ય છે. શાસ્ત્રમાં તેના ૯ ભેદ કહ્યા છે. (૪) પાપ – કોઈપણ પ્રવૃત્તિથી પ્રાણીઓને દુઃખ પહોંચાડવું તે પાપ છે, તેના અઢાર પ્રકાર છે. (૫) આશ્રવ :- આત્મામાં કર્મોની આવક થવાની પ્રવૃત્તિઓને આશ્રવ તત્ત્વ કહેવાય છે. તેના ૨૦ ભેદ કહ્યા છે. (૬) સંવર – આશ્રવને રોકવાની પ્રવૃત્તિઓ સંવર છે. તેના પણ ૨૦ ભેદ છે. (૭) નિર્જરા – કર્મોનો વિશેષ ક્ષય કરવાના કાર્યોને નિર્જરા કહેવાય છે. નિર્જરાના ૧ર પ્રકાર છે, જે ૧ર પ્રકારના તપ પણ કહેવાય છે. તેમાં છ અત્યંતર તપ છે અને છ બા તપ છે. (૮) બંધ – આત્માની સાથે કર્મોનું ચોંટી જવું તે બંધ છે. પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકારથી પરિપૂર્ણ બંધ થાય છે. (૯) મોક્ષ – સંપૂર્ણ કર્મક્ષય થઈને મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય તે મોક્ષ છે તેના પણ સમ્યગુ જ્ઞાન આદિ ચાર ઉપાય છે. વિસ્તૃત જાણકારી માટે નવ તત્ત્વનો થોકડો તેમજ નવ તત્ત્વ વિસ્તાર સંબંધી સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ.] (
શ્રાવકોએ જાણવા યોગ્ય રપ ક્રિયા | કાયિકી આદિ પાંચ ક્રિયા:૧. કાયિકી- શરીરના આત્યંતર સૂક્ષ્મ સિંચારથી. ૨. અધિકરણિકી– શરીરના બાહ્ય સૂમ સંચારથી. ૩. પ્રાદેશિકી- સૂક્ષ્મ કષાયોના અસ્તિત્વથી. ૪. પરિતાપનિકી– શરીરથી કષ્ટ પહોંચાડવા પર. ૫. પ્રાણાતિપાતિકી– જીવ હિંસા થઈ જવા પર. – ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org