SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ( ) વાર વરસમાં. લોકાચારનો આગાર (૧૦) ગાળ્યા વગરનું પાણી પીવાનો ત્યાગ અથવા કામમાં લેવાનો ત્યાગ, ચાર પ્રકારના અનર્થદંડ :-- (૧) અવજ્ઞાળા પરિણ્ :-- ખોટું ખોટું ચિંતન કરવું. જેમ કે – બીજા માટે મરવાનો, નુકસાનનો, રોગ આવવાનો, આગ લાગી જવાનો કોઈપણ રીતે દુ:ખી થવાનો ઇત્યાદિ વિચાર કરવો. અથવા આ કાર્ય પોતે જ કરવાનો વિચાર કરવો. બીજા પણ અનેક આર્ટરૌદ્ર ધ્યાન કરે જેમ કે— બીજાના દોષ જુએ, નિંદા કરે, બીજાની લક્ષ્મી ઇચ્છે, સંયોગ વિયોગના સંકલ્પ વિકલ્પ કરે, બીજાના દુ:ખમાં ખુશ થાય, ખોટું આળ આપે, ખોટી અફવા ઉડાડે. મિશ્ર ભાષા બોલીને કોઈના પ્રત્યે ભ્રમ ફેલાવે ઇત્યાદિ આ બધી પ્રથમ અનર્થ દંડની પ્રવૃત્તિઓ છે. (૨) પમાયાપરિણ્ :- પ્રમાદપૂર્વક પ્રવૃત્તિ કરવી. વિવેક ન રાખતા આળસ, બેપરવાહી આદિ. તરલ પદાર્થ જેમ કે- પાણી, દૂધ, ઘી આદિના વાસણ ઉઘાડા રાખવા. મીઠા પદાર્થોને વિવેક વગર રાખવા તથા કઈ વસ્તુને ક્યાં, કેવી રીતે રાખવી, તેનો વિવેક ન રાખવો. વિવેક વગર બોલી જવું, વિવેક વગર ચાલવું, બેસવું; વગર પ્રયોજને પૃથ્વી ખોદવી; પાણી ઢોળવું, અગ્નિ પેટાવવી, હવા નાખવી, હાથ પગ વસ્તુ હલાવવી; પંખા લાઈટ ખુલ્લા મૂકીને ચાલ્યું જવું, નળ આદિ ખુલ્લા રાખીને જવું, વિવેક ન રાખવો. લીલી વનસ્પતિ, ઘાસ તોડવું; તેના ઉપર બેસવું; ચાલવું; માપ વગર પાણીનો ઉપયોગ કરવો અથવા પાણીમાં તરવું; અનેક મનોરંજનની પ્રવૃત્તિઓ પણ અનર્થદંડમાં ગણવામાં આવે છે. દીપક, ચૂલા, ગેસ ઉઘાડા રાખી દેવા. સંમૂર્ચ્છિમ ખાર, ફૂલણ આદિનું ધ્યાન રાખ્યા વગર ચાલવું. વૃક્ષ પર ઝૂલો બાંધવો. આ બધી પ્રવૃત્તિઓ બીજા અનર્થદંડની છે. (3) हिंसप्पयाणं હિંસાકારી શસ્ત્ર કોઈને પણ આપવા અથવા અવિવેકી આપવા તથા એવા સાધનોનો અધિક સંગ્રહ કરવો. શસ્ત્ર, તલવાર, બંદૂક, કોદાળી, પાવડા આદિ. હિંસક જાનવરોનું પોષણ કરવું, ડી.ડી.ટી. પાવડર આદિનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો આદિ ત્રીજા અનર્થદંડ છે. --- (૪) પાવામ્ભોવબેસે :– પ્રયોજન વગર અથવા જવાબદારી વિના જ બીજાઓને પાપકાર્યોની પ્રેરણા કરવી. જેમ કે સ્નાન, શાદી, મકાન બનાવવું, વ્યાપાર કરવો, મોટરગાડી ખરીદવી, કૂવો ખોદાવવો, ખેતી કરવી, જાનવરનો સંગ્રહ કરવો. વનસ્પતિ કાપવી, ઉકાળવી આદિ પ્રેરણા કરવી અથવા એવા સંકલ્પ-વિકલ્પ કરવા. કોઈપણ ચીજોને અથવા સ્થાનોને જોવા જવું તેમજ કોઈ પણ વસ્તુના વખાણ અથવા પ્રશંસા કરવી. ખોટા શાસ્ત્ર રચવા તેમજ ખોટી પ્રરૂપણા કરવી; ઇત્યાદિ આ બધા ચોથા અનર્થદંડ છે. આગાર :- જે આદત જ્યાં સુધી પૂર્ણરૂપે ન સુધરે ત્યાં સુધી તેનો આગાર. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy