________________
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૩: બાર વ્રત
આદતને સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશ. લા રાખીને વિવેકાન વધારીશ. અતિચારઃ- (૧) કામ વિકાર ઉત્પન્ન થાય તેવી કથા કરવી. (૨) ભાંડોની જેમ બીજાઓને હસાવવા માટે કાયાની કુચેષ્ટા કરવી. અંગોપાંગોને વિકૃત કરવા. (૩) નિર્લજ્જતાપૂર્વક નિરર્થક બોલવું, અસત્ય અને અટપટુ અથવા હાસ્યકારી બોલવું (૪) ઉખલ–મૂરાલ આદિ ઉપકરણોને એક સાથે રાખવા જેનાથી સહજ રીતે વિરાધના થાય તથા શસ્ત્રોનો અધિક સંગ્રહ કરવો. (૫) ઉપભોગ–પરિભોગની વસ્તુઓનો વધારે સંગ્રહ કરવો. આ પાંચ અતિચાર છે. (૯) સામાયિકવ્રત --
રોજ(), દર મહિને() દર વરસે() સામાયિક કરીશ; વિશેષ પરિસ્થિતિનો આગાર. ૩ર દોણને ટાળવાનું ધ્યાન રાખીશ. આ દોષોને કંઠસ્થ કરી લેવા અથવા વરસમાં ૧ર વખત વાંચવા. ભૂલ થઈ જાય તો આગાર. અતિચારઃ- (૧–૩) પાપમય મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી. (૪)સામાયિક છે તે યાદ ન રાખવું, ભૂલ કરતી સમયે અચાનક યાદ આવવું (૫) સામાયિક અવ્યવસ્થિત ઢંગથી, અવિવેકથી કરવી; જેમ-તેમ અનાદર કે અસ્થિરતાથી કરવી અથવા સમય પૂરો થયા પહેલાં સામાયિક પાળી લેવી. ત્રણ અતિચાર ઉપયોગની શૂન્યતાથી અને બે અતિચાર પ્રમાદથી લાગે છે. (૧૦) દેશાવગાસિક વત :--
ચૌદ નિયમ(ત્રેવીસ નિયમ) રોજ ધારણ કરીશ અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ, ભૂલ કે શારીરિક પરિસ્થિતિ વગેરેનો આગાર. અભ્યાસ(ટેવ) થઈ જાય ત્યાં સુધી આગાર, વિશેષ પરિસ્થિતિમાં કોઈ પણ સંક્ષિપ્ત રીતથી નિયમ ધારણ કરવાનો આગાર. અતિચાર :- મર્યાદાઓનું અજાણપણે અથવા અવિવેકથી ઉલ્લંઘન થવા પર અતિચાર લાગે છે. નોટ:ચૌદ નિયમનું વિરોપ સ્પષ્ટીકરણ આગળ જુઓ. (૧૧) પોwધવ્રત:--
દયા અથવા પૌષધ મળીને કુલ () દર વર્ષે અથવા પરિપૂર્ણ પૌષધ (), અપૂર્ણ પૌષધ (), દયા (), ચાર બંધ (), ચૌવિહાર (), તિવિહાર (), ઉપવાસ (), આયંબિલ (), નીવી (), એકાસણું (), પોરસી (), નવકારસી (), પ્રતિક્રમણ (), મહિનામાં અથવા વરરામાં ભૂલ થવા પર અથવા અવસ્થાના કારણે આગાર. નિવૃત્તિ વ્યાપારથી () વર્ષ પછી. અતિચાર :- (૧) સુવાના મકાન, પથારીનું પડિલેહણ ન કરવું અથવા સારી રીતે ન કરવું (ર)પૂજવાના સમયે પ્રમાર્જન ન કરવું અથવા સારી રીતે ન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org