SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : ભાવોથી દાન દેવામાં આવે છે. તે દાનને સુપાત્રદાન કહે છે. તેમાં કોઈપણ પ્રકારની લોકેષણા કરવામાં આવતી નથી. ફક્ત ગુરુ ભક્તિ, સંયમચર્યાનું અનુમોદન અને કર્મોની નિર્જરાનો હેતુ હોય છે. નિયમોથી યુક્ત તેમજ દોષ રહિત દાનનો અને ભાવોની પવિત્રતાનો તથા લેવાવાળા પાત્ર નિર્મળ આત્માનો સંયોગ મળી જવા પર આ વ્રત પ્રક્રિયાનું મહત્વ ઘણુંજ વધી જાય છે. ' - + + ", " , " , , ' ' :: ૬ ક. ** [ : ' કાંક ' : * * ' શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવાની સ્પષ્ટ તેમજ સરળ વિધિ જ કરવા માટે પનારાજ થયા કા કરાયા છે - પક્ષ - - સમ્યકત્વ – દેવ ગુરુધર્મની શુદ્ધ સમજ રાખીશ અને સુદેવ, સુગુરુને ભક્તિપૂર્વક વિનય અને વંદન કરીશ. કુદેવ, કુગુરુનો વિનય અથવા વંદનની પ્રવૃત્તિ સમાજ વ્યવહારથી તથા આવશ્યક પરિસ્થિતિથીમાં કરવા પડે તો તેનો આગાર. પ્રતિક્રમણમાં ઉપલબ્ધ અણુવ્રતોના પાઠોના આધારથી વ્રત ધારણનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. (૧) પહેલું વ્રતઃ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ (સ્થૂલ હિંસાનો ત્યાગ) – નિરપરાધી ત્રસજીવને મારવાની ભાવનાથી મારવાના પચ્ચખાણ, જીવન પર્વત, બે કરણ ત્રણ યોગથી બનતી કોશિશે અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. અતિચાર – (૧) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક ગાઢ બંધનથી કોઈને બાંધવું (૨) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક મારપીટ કરવી (૩) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક કાન, નાક, હાથ, પગ આદિ અવયવ કાપવા (૪) સ્વાર્થવશ શક્તિ ઉપરાંત કોઈપણ પ્રાણી ઉપર અધિક ભાર નાખવો. જેનાથી તેને અત્યંત પરિતાપ પહોંચે અથવા પ્રાણ સંકટમાં પડી જાય. (૫) ગુસ્સામાં આવીને કોઈ પણ પ્રાણીના નિર્દયતાપૂર્વક આહાર, પાણી બંધ કરવા. આ પાંચ અતિચાર છે. આગાર – પોતાના અથવા પોતાને આશ્રિત જીવોને ઉપચાર કરાવવામાં કોઈ ત્રસ જીવોની હિંસા રોકી ન શકાય તેનો આગાર. તેમજ સાંસારિક કાર્ય અથવા વ્યાપારિક કાર્ય કરતાં તથા વાહન પ્રયોગ કરતાં ત્રસ જીવોની હિંસા થઈ જાય તો તેનો આગાર. જીવોની ઉત્પત્તિની પહેલા અથવા પછી તેના નિવારણનો કોઈ ઉપાય અપનાવવો પડે તો આગાર. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી અહિંસક ઉપાય કરવાનું ધ્યાન રાખીશ. અવિવેક અને ભૂલનો આગાર. આદત ન સુધારવાથી કોઈ પ્રવૃત્તિ થઈ જાય તેનો આગાર. આદતને સુધારવાનો પ્રયત્ન કરીશ. (૨) બીજું વ્રત: સ્થૂલ મૃષાવાદ વિરમણ(મોટા જૂઠનો ત્યાગ): પાંચ પ્રકારના મોટકા જૂઠું બોલવાનો મારી સમજ તેમજ ધારણા અનુસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy