SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત આ આનંદદાયક પ્રવૃત્તિ બતાવે છે. સંસાર માર્ગથી સ્યાદ્વાદના ત્યાગ માર્ગમાં ભિન્નતા છે. અહીં સમય આવ્યે સેવાનું પણ મહત્વ છે, તો સમય પર આહાર સંબંધ અલગ કરવાનું તેમજ સહાય લેવા દેવાનો ત્યાગ કરવાનું પણ એક મહત્ત્વ પૂર્ણ આચરણ બતાવવામાં આવ્યું છે. અન્યત્ર આગમમાં પણ એવી પ્રતિજ્ઞા છે, ચૌભંગી પણ આવે છે કે કોઈ સાધુ પોતાનું કામ કરાવે, જાતે પણ કરે; કોઈ બીજા પાસે કરાવે(અર્થાત્ સેવા લે) પરંતુ કરે નહિ. કોઈ સેવા કરે પરંતુ સેવા કરાવે નહિ અને કોઈ સેવા કરવા કરાવવાનો સંપૂર્ણ ત્યાગ કરી દે. આચારાંગસૂત્ર ૨, અ---૭, ઉદ્દેશક-૩ અને આચારાંગ શ્રત સ્કંધ-૧, અ–૮, ઉદ્-પ થી ૭-ત્રણ સ્થાન પર એવી ચોભંગી છે. આચારાંત્ર સૂત્ર અધ્યયન ૮- માં સૂચિત ચૌભંગીઓ તો સ્વતંત્ર ગોચરીની સ્પષ્ટપણે પ્રેરક છે. ધર્મરુચિ અણગાર, ગૌતમ સ્વામી, અર્જુન માળીના ગોચરીના વર્ણન તો સ્વતંત્ર ગોચરીના ક્રિયાત્મક(પ્રેક્ટીકલ) ઉદાહરણ છે. છ સગા ભાઈઓમાં બબ્બેની સ્વતંત્ર ગોચરીનું ઉદાહરણ પણ અંતગડ સૂત્રમાં અત્યંત પ્રેરક ઢંગવાળુ છે. આજે પરંપરાના નામે સ્વતંત્ર ગોચરીનો નિષેધ કરવામાં આવે છે અને તેને અનુચિત સમજવામાં આવે છે. તે આગમ વિપરીત અને એકાંત દષ્ટિવાળી પ્રરૂપણા છે. તેનાથી અનેક અભિગ્રહ આદિના લાભથી સાધકોને વંચિત રાખવામાં આવે છે. તે જ રીતે જે પદ્ધતિ અથવા પરંપરાના આગ્રહથી આગમિક સાધનાઓનો વિચ્છેદ થતો હોય તો તેવો એકાંત આગ્રહ કરવાનું અનુચિત પણ ગણાય છે. ઉર આગમોમાં સામુહિક અને સ્વતંત્ર બન્ને પ્રકારની ગોચરીનું વર્ણન છે. ઓઘનિર્યુક્તિમાં આ વાતનું સમર્થન કરતું વર્ણન છે. તેમાં એ બતાવ્યું છે કે કારણપૂર્વક જ માંડલિક(સામુહિક) આહાર કરવામાં આવે છે. પરંતુ પૂર્ણ યોગ્ય અને કારણના અભાવવાળા સંત સ્વતંત્ર ગોચરી કરે છે, તેના માટે કારણ આ પ્રમાણે કહ્યા છે– બાળ, ગ્લાન, વૃદ્ધ, પદવીધર, મહેમાન સાધુ(નવા આગંતુક સાધુ) અને તપસ્વી વગેરેની સામુહિક ગોચરી થાય છે. આવા કારણોના અભાવમાં યોગ્ય સાધનાપ્રિય સાધક સ્વતંત્ર એક-એક અથવા બળે સાથે ગોચરી કરે છે. આ પ્રમાણે ત્યાંના વિસ્તૃત વર્ણનમાં સામુહિક ગોચરીને અપવાદરૂપ વ્યવસ્થા કહી છે અને યોગ્યતા સંપન્ન સાધક આત્માઓને માટે સ્વતંત્ર ગોચરીનો વિધિમાર્ગ બતાવેલ છે. જે આગમ વર્ણનોથી પણ અવિરુદ્ધ છે. તાત્પર્ય એ છે કે સેવા વગેરે કારણો સિવાય યોગ્ય સાધકોએ એકલા અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy