SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૨ : સ્વતંત્ર ગોચરી બે થી સ્વતંત્ર ગોચરી લાવવી, અન્યને નિમંત્રણ આપવું પછી ગોચરી વાપરવી, અભિગ્રહ તપ કરવું એ આગમિક વિધિ માર્ગ છે, ધ્રુવ માર્ગ છે તથા સંયમોન્નતિ અને એષણા શુદ્ધિનો માર્ગ છે. આમાં સાધકોને આત્મ સંતોષ, સંયમોન્નતિ, અભિગ્રહ પાલન, તપવૃદ્ધિ, સમયનો બચાવ, મૌન સાધના, સમાધિ સાધના વગેરે સાધનાઓનો લાભ થાય છે. આગમકાલીન પદ્ધતિનું પાલન અને તેનો પુનરોદ્ધાર થાય છે. જેનાથી ગચ્છમાં થવાવાળી છિન્નભિન્ન સ્થિતિ, પરસ્પર અથડામણ, મન ભેદ થવું, સ્વચ્છંદ અકલ્પનીય એકલ વિહારની સ્થિતિઓ, સંતોના અંતર્મનમાં ગચ્છીય સાધનામાં અસંતોષ આદિ દોષોનું નિરાકરણ થાય છે. ૧૧૦ * આગમ વર્ણન અનુસાર :– ૧. ગૌતમ સ્વામી પોતાના છઠના પારણે ગોચરી લેવા જાતે એકલા જવા અને વાપરવામાં કોઈ અપમાન કે અવ્યવહારિકતા સમજતા નહોતા. ૨. ધર્મરુચિ અણગાર ગુરુની સાથે રહેવા છતાં માસખમણના પારણે સ્વયં ગોચરી લાવે તો પણ આત્મ કલ્યાણમાં રુકાવટ થતી નથી. ૩. નવદીક્ષિત અર્જુનમાળીનું છઠના પારણા માટે સ્વયં જવું અને મહાન કર્મોની નિર્જરા કરવી, એ પણ એક અનુપમ આદર્શ છે. ૪. કૃષ્ણના ૬ ભાઈ મુનિઓનું અલગ-અલગ ગોચરી જવાનું વર્ણન એ સિદ્ધ કરે છે કે – જેને આજનો માનવ કે સંસાર-વ્યવહાર અવગુણના રૂપમાં જોવા ઈચ્છે છે તેને જ આગમમાં સાધુને માટે વિશિષ્ટ સાધના માનવામાં આવેલ છે. સંસાર વ્યવહારમાં સામુહિકતા આદર્શ ગણાય છે તો સાધના જીવનમાં અસામુહિકતા આદર્શ કહેવામાં આવેલ છે. સાધુનો બીજો મનોરથ જ એકલ વિહાર ચર્યારૂપ બતાવવામાં આવેલ છે તથા અહીં તહીં આગમોમાં આત્માને એકત્વથી ભાવિત કરવાની પ્રેરણા કરવામાં આવી છે. સામુહિક ગોચરીમાં અને તેમાં પણ અધિક સમૂહ એકઠો થવામાં આહાર અને પાણીમાં અનેક સૂક્ષ્મ સ્થૂળ દોષ લાગવાની સંભાવના રહે છે. For Private & Personal Use Only જ્યારે સ્વતંત્ર ગોચરી અને સ્વતંત્ર એકલવિહારનો એકાંત નિષેધ અપનાવી લેવામાં આવે છે તો ગુણવર્ધક એકલવિહાર અને સ્વતંત્ર ગોચરીનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે અને અવગુણરૂપ સ્વચ્છંદોનો માર્ગ તો વિરોધ કરવા છતાં પણ અટકતો નથી. તેના ફળસ્વરૂપ જિનશાસનમાં સ્વચ્છંદ વિહારની વૃદ્ધિ થતી રહે છે. જો પહેલાથી જ સુંદર વિધિ વિધાનોની સાથે આગમ ચિંતનપૂવર્ક આગમ સંમત સ્વતંત્ર વિહાર અને સ્વતંત્ર ગોચરીમાં અવરોધ નહિ કરીને સાધકોને અવસર દેવામાં આવે તો દૂષિત તત્ત્વોનો માર્ગ અવરોધાય અને યોગ્ય સાધકોનો આજ્ઞાપૂર્વક માર્ગ ખુલે જેથી જિનશાસનમાં શુદ્ધ તત્ત્વોની સંખ્યા વધે અને અશુદ્ધ તત્ત્વોની સંખ્યા રોકાય. Jain Education International www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy