________________
ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-ર ઃ સ્વતંત્ર ગોચરી
(૫) શરીરની બાહ્ય દરેક પરિસ્થિતિમાં ધૈર્ય રહી શકે. એકલા રહેવામાં પૂર્ણ ઉત્સાહ અને પ્રસન્નતા રહી શકે - ઠાણાંગ ૮ ના આધારે; તો તે ભિક્ષુ દશવૈકાલિક નિર્દિષ્ટ ભલામણ શિક્ષાઓનું ધ્યાન રાખીને અને પાલન કરીને એકલો વિચરી શકે છે. (૬) કારણની સમાપ્તિ થતાં એકલ વિહાર છોડી શકે છે અનેક ટીકા, ભાષ્યના આધારે. (૭) સમર્થતા ન રહે તો એકલ વિહાર છોડી શકે છે = વ્યવહારસૂત્ર ઉદ્દેશ ૧ ના આધારે. (૮) દશવૈકાલિક, ઉત્તરાધ્યયન – સાથી અનુકૂળ અને યોગ્ય મળી જાય તો એકલ વિહાર છોડી શકે છે.
==
(૯) અન્યથા વૃદ્ધાવસ્થા તેમજ જીવન પર્યંત પણ એકલ વિહારમાં રહી શકે છે = વ્યવહાર ઉદ્દેશો ૮ તથા ઉત્તરાધ્યયન ૨૭ મું અધ્યયન.
॥ એકલવિહાર પ્રમાણ ચર્ચા સંપૂર્ણ
૧૧૫
પરિશિષ્ટ-ર
ભિક્ષુની સ્વતંત્ર ગોચરી
અનેકાંત
મૂલક આ જિન શાસનના કોઈપણ વિધાનને એકાંતના આગ્રહમાં નહિ મૂલવવું જોઈએ.
તદ્નુસાર અનેક આગમ વિધાનો અને વર્ણનોથી એ સ્પષ્ટ છે કે સમૂહમાં રહેવા છતાં પણ સામુહિક અથવા અસામુહિક રૂપથી ગોચરી લાવવા વાપરવાનું સાધુ કરી શકે છે.
દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૫ ઉદ્દેશા એકમાં વર્ણિત આહાર કરવાની વિધિ પણ સ્વતંત્ર ગોચરીની પ્રમુખતાથી કહેવામાં આવેલ છે. આચારાંગ સૂત્રના અનેક વિધાનોથી પણ સ્વતંત્ર ગોચરીની પદ્ધતિ સિદ્ધ થાય છે.
સાધ્વીઓ દ્વારા કરવામાં આવેલી સત્તસત્તમિયા આદિ ભિક્ષુ પડિમાઓ સ્વતંત્ર ગોચરીને સ્પષ્ટપણે સિદ્ધ કરવાવાળી છે. સ્વતંત્ર ગોચરી વિના તે પડિમાઓ થઈ શકતી નથી. આ પ્રમાણે અહીં સાધ્વીઓની સ્વતંત્ર વ્યક્તિગત ગોચરી પણ પ્રમાણિત થાય છે. તો સાધુને માટે તો નિષેધ હોવાનો કોઈપણ પ્રશ્ન જ નથી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯– માં કહેવામાં આવેલ સંભોગ પચ્ચકખાણ અને સહાય પચ્ચક્ખાણનું વર્ણન સ્વતંત્ર ગોચરીને એક વિશિષ્ટ લાભકારક,
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org