SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત છે. અણસમજુ તો કહી શકે છે કે આચાર્યની આજ્ઞા ન માની, પરંતુ ભગવદ્ આજ્ઞાની સત્તા એ છે કે ખોટું કામ કરવાનું ગુરુ આજ્ઞાથી સ્વીકારી નથી શકાતું, એવું ઉક્ત પાઠથી સ્પષ્ટ થઈ જાય છે. (૪) ઠાણાંગ સૂત્રમાં ગચ્છ છોડવા માટેના અનેક કારણ બતાવવામાં આવ્યા છે. તે શા માટે? કેમ કે ગુરુની આજ્ઞા ન માનવામાં આવે ત્યારે જ ગચ્છ છૂટે છે. તેમાં બતાવ્યું છે કે–૧.જે સંયમ જ્ઞાનની રુચિ સાધુને હોય તેવી અનુકૂળતા ગચ્છમાં ન હોય, તેથી તેને સંતોષ ન થઈ શકે, તો તે ગચ્છને છોડી શકે છે. ૨. જ્યાં સારણા, વારણા, વિનય પ્રતિપત્તિની વ્યવસ્થા બરાબર ન હોય૩. ન્યાય અન્યાય બધું ચાલે ૪. જેના મનમાં જે આવે તે કરે એવી અવ્યવસ્થા જોવા મળે, ૫. આગમાનુસાર ધારણા, પ્રવૃત્તિ, વ્યવહાર ન હોય તો તે ગચ્છને છોડી શકે છે, વગેરે અનેક કારણ કહ્યા છે. આમ વિનય પ્રધાન અને આજ્ઞાપ્રધાન ધર્મ હોવા છતાં પણ આ ધર્મ એકાંતિક ન હોઈને સ્યાદ્વાદમય છે. જે ઉપરોક્ત ચાર આગમ કથનોથી સારી રીતે સમજી શકાય છે કે ન્યાય, સત્ય, સંયમ, સમાધિનું મહત્વ વિનય અને આજ્ઞાથી પણ વધારે છે; એમાં પણ કોઈ અવિનય આશાતના સમજી લે તો એમ જાણવું કે તેને હજુ નિગ્રંથ પ્રવચન વિનય પ્રધાન હોવા છતાં પણ ન્યાય માર્ગ છે એ સમજવાનું બાકી છે. આગમ નિરપેક્ષ કે આગમ વિપરીત ગુરુ આજ્ઞા અને વ્યક્તિ મહત્ત્વને જિનશાસનમાં સ્થાન નથી. ગૌતમ સ્વામીના કથન અને સમાજમાં પણ ભૂલ હોઈ શકે અને તેનું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. આથી જે વિષયમાં શાસ્ત્ર પ્રમાણ સ્પષ્ટ હોય તો કોઈપણ મોટામાં મોટા છઘસ્થ ગુરુ આચાર્યાદિનું અને પરંપરાનું તેનાથી અધિક મહત્ત્વહોઈ શકતું નથી. નાના મોટા સૌને માટે આગમ તો સર્વોપરી જ છે. ગુરુ આજ્ઞા અને પરંપરાને તેનાથી ઊતરતા જ સમજવા જોઈએ. બહુશ્રુતની પરિભાષા– નિશીથ ભાષ્ય પીઠિકાની અંતિમ ગાથામાં ગીતાર્થની સમાન જ બહુશ્રુતના ત્રણ ભેદ અને કંઠસ્થ શ્રુતજ્ઞાનનું કથન કરેલ છે અર્થાત્ આ બન્નેની પરિભાષા સરખી આપવામાં આવી છે. સંપૂર્ણ પ્રમાણોનો સારાંશ - (૧) આગમ સંમત વિશિષ્ટ પરિસ્થિતિ હોય = ઠાણાગ૫ અને બે ભાષ્યના આધારે; (૨) અન્ય કોઈ અનુકૂળ યોગ્ય સાથીનો સંયોગ ન હોય = દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રના આધારે; (૩) ત્રણ પ્રકારમાંથી કોઈ પણ ગીતાર્થતા અથવા બહુશ્રુતતા હોય = ઠાણાંગ સૂત્ર અને ભાષ્યના આધારે; (૪) ત્રણ વર્ષથી ઓછી દીક્ષા પર્યાય ન હોય, ૪૦ વર્ષથી ઓછી ઉંમર ન હોય = વ્યવહાર ઉદ્દેશા ૩ ના આધારે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy