SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧: એકલવિહાર ૧૧૩ તો સમજમાં આવી શકે છે કે ૯ પૂર્વી તો કોઈ સાથી નહિ મળવા આદિની પરિસ્થિતિથી એકલા નથી જતા. એથી તેઓને માટે એવી પરિસ્થિતિના અર્થ– વાળા અને ભલામણવાળા પ્રકરણને જોડી દેવું એ ઘણી મોટી ભૂલ છે. એથી આ ગાથાને માટે અને અન્ય પણ જે ઉપર અનેક એકલવિહાર ચર્યાના પ્રસંગ આચારાંગ સૂત્ર આદિના બતાવ્યા છે, તેને માટે ૯ પૂર્વી આદિનું કહેતા રહેવું અને પ્રરૂપણા કરવી, બુદ્ધિમાનોને માટે યોગ્ય નથી અને તેને આગમસંમત પણ ન કહી શકાય. - સૂયગડાંગ સૂત્રમાં આધાકર્મી આદિ દોષ પ્રસંગથી સ્પષ્ટ કથન છે કે – આધાકર્મી આદિ દોષ લાગે તો મુનિ “એકાકીપણાનો સ્વીકાર કરે, પરંતુ તે દોષ સંયુક્ત અવસ્થામાં ન રહે, આમ એકાકીપણાથી પણ મોક્ષ થઈ શકે છે, એમાં શંકા ન કરવી અથતુ અસત્ય નહિ સમજવું. આ રીતે પણ મોક્ષ મળવાનું સત્ય છે અને (અપેક્ષાએ) સારૂ પણ છે. એથી કષાય રહિત થઈને સત્યતાપૂર્વક સંયમમાં લીન રહેવું.”તે ભાવાર્થવાળી ગાથા આ પ્રમાણે છે– एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो ण मुसं ति पास । एस पमोक्खे अमुसे वरे वि, अक्कोहणे सच्चरए तवस्सी ॥ વિનયધર્મમાં સ્યાદ્વાદ:-- આ પ્રમાણે ઉપરોક્ત આગમ સ્થાનોને જોવાથી આ સહજ સમજી શકાય છે કે સ્યાદ્વાદમય જિનાગમ અને જિનવાણીના આધારે એકાંતિકરૂપથી સાધુનું એકલા વિચરવું નિષિદ્ધ ન સમજવું. જો કે નિગ્રંથ પ્રવચનરૂપ ભગવાનનો આ માર્ગ વિનય પ્રધાન ધર્મ છે છતાં પણ તેના સ્યાદ્વાદમય હોવાથી તેમાં વિનયથી પણ ક્યારેક સત્ય, સંયમ સમાધિ અને ભગવદાજ્ઞાનું કંઈ અધિક મહત્ત્વ રહે છે. કેટલાય પચ્ચખાણોમાં મહત્તરા ગાર (વડીલોનો આગાર) પણ નથી હોતો. (૧) દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે રત્નાધિક પ્રત્યે સદા વિનયની પ્રવૃત્તિ રાખવી, છતાં પણ સંયમની હાનિ ન થાય તેનું પૂરું ધ્યાન રાખવું. – અ–૮, ગા—૪૯. (ર) બૃહત્કલ્પસૂત્રમાં કોઈ ભૂલ અથવા ક્લેશના પ્રસંગની આચાર્ય પાસે આલોચના કે પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું છે. ત્યાં એ પણ કહ્યું છે કે જો તે પ્રાયશ્ચિત્ત આગમ અનુસાર હોય તો લેવું. આગમાનુસાર ન હોય તો નહિ લેવાનું અર્થાત્ અસ્વીકાર કરી દેવો. એવું મૂળપાઠમાં સ્પષ્ટ છે, ત્યાં તેને કોઈ અવિનય નથી માનવામાં આવ્યો. (૩) વ્યવહારમાં સૂત્રમાં – આચાર્ય સંલેખના સંથારો આદિ મૃત્યુના નિકટના સમયમાં શિષ્યોને કહી દે કે મારા પછી અમુકને આચાર્ય બનાવજો, એ વિષયમાં આગળ શાસ્ત્રકાર સ્વયં કહે છે કે તે યોગ્ય લાગે તો તેને આરાાર્ય બનાવવા, યોગ્ય ન લાગે અને અન્ય યોગ્ય લાગે તો અન્યને બનાવવા, આટલું મૂલપાઠમાં સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy