________________
૧૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
ઉપસંહાર
આ ભાવવાળી આ ગાથાને બે સૂત્રોમાં સ્થાન મળ્યું છે. શ્રુતિ પરંપરા અનુસાર ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષ જતી વેળાએ જે ૩૬ અધ્યયન ફરમાવ્યા તેના ૩ર મા અધ્યયનની આ પાંચમી ગાથા છે અને તેમજ પ્રચલિત ઈતિહાસ પ્રમાણે પોતાના પુત્ર મનકને માટે અલ્પ ઉંમર જાણીને ૧૪ પૂર્વી સ્વયંભવાચાર્યે સૂત્રોના સાર લઈને જે દશવૈકાલિકસૂત્રની રચના કરી તેની બીજી ચૂલિકામાં ગાથા નં. ૧૦ છે.
બંને ચૂલિકાઓ વિશિષ્ટ વિષય વિશે છે. પ્રથમમાં જે સાધક સંયમમાં અસ્થિર ચિત્ત થઈ જાય તેને સ્થિર કરવામાં પૂર્ણ સહાયરૂપ શિક્ષાનું જ કથન છે. એથી એનું નામ છે— ‘રતિવાક્ય’ અર્થાત્ સંયમમાં રુચિ ઉત્પન્ન કરાવનારા શિક્ષા વાક્યો.
બીજી ચૂલિકાનું નામ છે- ‘વિવિક્તચર્ચા.’ એમાં ગચ્છથી મુક્ત થઈને એકલ વિહાર ચર્યા કરનારાઓનું કથન છે. વાસ્તવમાં બીજી ચૂલિકામાં પ્રારંભની ગાથાઓમાં સંયમની કેટલીક શિક્ષાઓનું કથન કરીને આગળની ગાથાઓમાં આ વિષય (એકલવિહારનો) લીધો છે. દશમી ગાથામાં બે ભલામણ દીધા પછી આગળ અન્ય અનેક ભલામણો કરી છે. કારણકે એકલા હોવાને કારણે તેને અન્ય તો કાઈ કહેનાર રહેતું જ નથી. એથી જાતે જવિશેષ ધ્યાન રાખે કે માસકલ્પ આદિ મર્યાદાઓનું ક્યારેય ઉલ્લંઘન ન કરે. કારણ કે એકલાપણામાં એની સંભાવના અધિક રહે છે. તેમજ સદા સૂત્ર નિર્દિષ્ટ માર્ગને સમજીને તે અનુસાર ચાલવાનું ધ્યાન રાખે. સૂત્ર અને તેનો અર્થ જે જે આજ્ઞા આપે તદનુસાર વર્તે.
રાત્રે સૂતાં અને ઊઠતાં બંને સમય આત્મચિંતન(ધર્મજાગરણ) કરે કે મેં કેટલા ગુણ વિકસાવ્યા ? કયા વધારવાના છે ? કયા કરી શકવા છતાં પણ નથી કરતો ? કયા કયા મારા દોષ છે? કયા દોષ મને દેખાય છે અને ક્યા દોષ બીજાઓને દેખાય છે ? આ પ્રમાણે સમ્યક ચિંતન કરી સ્ખલનાઓને દૂર કરવામાં જાગૃત રહે, એકલ વિહારીને માટે એવી ઘણી ભલામણો આપી છે. એથી એનું નામ પણ આ મુખ્ય વિષયના કારણે ‘ વિવિક્તચર્યા’ રાખ્યું છે.
6
એ બે ચૂલિકાઓનો મળીને સાર એ થયો કે કોઈપણ દુઃખથી ગભરાઈને સાધુ સંયમ ન છોડે અને જો એકલા રહેવાથી સમાધિ રહી શકે તો તેમ પણ કરે પરંતુ સંયમ છોડવાનો વિચાર તો ન જ કરે તથા એકલા રહેવામાં અનેક જોખમ રહે છે. એથી ભલમણો, શિખામણોના પાલનનું સારી રીતે ધ્યાન રાખે.
આ પ્રકારની પરિસ્થિતિના નિર્દેશવાળી, અર્થવાળી તેમજ ભલામણ યુકત આ ગાથાના વિષયને આગમ વિહારી ૯ પૂર્વી, જિનકલ્પી આદિને માટે કહેવું એ આગમ આશયને નહિ સમજી શકવાની સ્ખલના-ભૂલથી થાય છે અથવા તો જબરજસ્તી ઠોકી બેસાડવાની બુદ્ધિથી પણ થઈ શકે છે. તટસ્થ વૃત્તિથી વિચારીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org