________________
છે. ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧: એકલવિહાર
૧૧૧
અથવા મને લાવી આપનાર શુદ્ધ ગવેષણા કરે છે? મારા શરીરના ઉપભોગમાં કોઈ પણ અકલ્પનીય વસ્તુ તો નથી આવતી, તેનું પૂરું ધ્યાન (સાવધાની) રાખે. આ પ્રથમ ઈચ્છા છે. સર્વ પ્રથમ આ ઈચ્છા-આકાંક્ષા સાધુને સંયમ જીવનમાં હોવી જ જોઈએ, કારણકે કહેવત છે કે જેવો આહાર તેવો ઓડકાર. આથી પહેલાં આહાર શુદ્ધિનું ધ્યાન રાખવું. એમાં પણ એ સાવધાની રહે કે આહાર મર્યાદિત ખપ પૂરતો અને સંયમ યાત્રાને ટકાવવા પૂરતો હોય, નહિ કે મન અને ઈન્દ્રિયનો પોષક અને અહિતકર હોય. વળી શાસ્ત્રકાર આગળ બીજી ઈચ્છાની વાત કરે છે કે, સાથી સાધુ તત્ત્વજ્ઞ, બુદ્ધિમાન, સંયમના યોગોમાં પૂર્ણ સમજ અને વિવેક રાખવાવાળો હોવો જોઈએ, જેથી જીવનમાં કોઈ પણ પ્રકારની અસમાધિનું કારણ ન બને. યોગ્ય સાથી સમય આવ્યે અધિક લાભકારી થાય છે. જેમકે શૈલક રાજર્ષિને યોગ્ય શિષ્ય ફરી ધર્મમાં સ્થિર કરી દીધા હતા. એથી યોગ્ય સાથીની સાથે રહેવાનું જ સદા ધ્યાન રાખવું. તત્પશ્ચાત્ સમાધિના ઈચ્છુક તે સાધકે રહેવાને માટે યોગ્ય અને એકાંત શાંત મકાન મેળવવાનું સદા ધ્યાન રાખવું તે ત્રીજી ઈચ્છા છે.. ગાથા ૪ો પાંચમી ગાથાનો સંબંધ - ૫થ ત આદિ રોષ વશ વૈત પૂર્વોક્ત ગુન सहायः शिष्यः न लभेत तदा किं कर्तव्यं तदाह - ण वा लभेज्जा णिउणं सहाय, गुणाहियं वा गुणओ समं वा ।। एक्को वि पावाइं विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो ॥५॥ અર્થ: હવે જ્યારે કાલ આદિ દોષવશાત્ કોઈ યોગ્ય સહાયક સાથી ન મળે તો શું કરવું જોઈએ, તે આગલી પાંચમી ગાથામાં કહેવામાં આવ્યું છે. ગાથાની ટીકાનો ભાવાર્થ – જો પોતાનામાં રહેલા વિનય વગેરે ગુણોમાં સમાન અથવા અધિક યોગ્યતાવાળો બુદ્ધિમાન, શુદ્ધ સંયમની ઈચ્છાવાળો, સહાયક સાથી ન મળે તો તે સાધુ એકલો જ શિષ્ય વિના વિચરે પરંતુ સંયમ ગુણ સમિતિ વગેરે તેમજ વિનય આદિમાં કમજોર, અવિનીત શિષ્યને જબરજસ્તી નિભાવવાનો પ્રયત્ન ન કરે. આ રીતે ચારિત્ર ગુણોમાં અનુકૂળ રુચિવાળા, અસમાધિ પેદા નહિ કરવાવાળા એવા વિનીત શિષ્યના અભાવમાં મુનિ એકલા જ વિચારે.[ જેમ ગગચાર્ય સેંકડો શિષ્યોને છોડીને એકલા જ વિચર્યા].
હવે આવી પરિસ્થિતિમાં એકલો વિચરતો સાધુ શી સાવધાની રાખે એ વિષે ભલામણ કરતા શાસ્ત્રકાર કહે છે કે સાધુએ સાવધયોગનો ત્યાગ કરેલ છે એથી સદા ૧૮ પાપથી બચવા પૂરેપૂરું ધ્યાન રાખે, આ પહેલી ભલામણ છે અને બીજી ભલામણ એ છે કે પાંચ ઈન્દ્રિયના વિષય અર્થાત્ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ કામ ગુણોમાં આસક્ત નહિ બનતાં એમાં મનને પ્રતિબંધિત નહિ કરતાં, વૈરાગ્યભાવને ઉપસ્થિત રાખતાં, ઉદાસીન ભાવોને પુષ્ટ કરતાં વિચરે. ઉત્તરાધ્યન સૂત્ર, અધ્યયન કર, ગાથા–૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org