________________
*. ૧૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
| દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રમાં એકલ વિહાર |
असंकिलिटेहिं समं वसिज्जा, मुणी चरित्तस्स जओ ण हाणि ॥ ण वा लभेज्जा पिउणं सहाय, गुणाहिय वा गुणओ सम वा ।
પ વિ પવારે વિવનાંતો, વરિળ વાસુ HMAT I ચૂલિકા / સરલાર્થ – સાધુએ તેની સાથે રહેવું ઉચિત છે કે જેની સાથે રહેવામાં કોઈપણ પ્રકારનો માનસિક, વાચિક, શારીરિક સંક્લેશ ન થાય અને સ્વીકૃત ચારિત્રમાં કોઈ પ્રકારની હાનિ ન થાય તો જો શ્રેષ્ઠ સહાયક મુનિ ન મળે તો શું કરવું જોઈએ? એનું સમાધાન શાસ્ત્રકાર આગળની ગાથામાં આપે છે કે પોતાનાથી અધિક ગુણવાન અથવા સમાન ગુણવાળો યોગ્ય નિપુણ(સંયમમાં) સહાયક ન મળે તો એકલા જ વિચરવું અને ધ્યાન રાખવું કે પાપોના(૧૮ પાપ) ત્યાગને બરાબર નિભાવવામાં આવે. ઈન્દ્રિયોના વિષયોમાં ક્યાંય પણ આસક્ત બન્યા વિના વિચરવું.
એનો ભાવાર્થ એ થયો કે જેની સાથે રહેવામાં સંયમમાં કોઈપણ પ્રકારે હાનિ થાય, કોઈપણ પ્રકારનો સંક્લેશ થાય તો મુનિએ ત્યાં ભૂલથી પણ રહેવું નહિ જોઈએ, સહર્ષ એકલા વિચરણ કરવું જોઈએ – આચાર્યશ્રી આત્મારામજી મ.સા. સંપાદિત ઉત્તરાધ્યયન સૂત્ર.
એવી સ્થિતિ ૯ પૂર્વાને માટે નથી હોતી, તેઓ તો વિશેષ તપ, ધ્યાન, નિર્જરા, પડિમા વગેરે માટે અનેક ઉચ્ચ યોગ્ય સાધક સાથીના હોવા છતાં પણ એકલા જાય છે. એથી સૂત્રોક્ત આ ભાવ સાધારણ સાધુની અપેક્ષાએ જ શાસ્ત્રકારે કહેલ છે એવું સ્પષ્ટ છે. આના માટે નવપૂર્વીનું કથન ગમે તેટલું પણ પ્રાચીન કેમ ન હોય આગમ આશયથી વિપરીત અને મનકલ્પિત છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩ર :
आहार मिच्छे मियमेसणिज्जं, सहायमिच्छे णिउणत्थ बुद्धिं ।
णिकेयमिच्छेज्ज विवेग जोगं, समाहि कामे समणे तवस्सी ॥४॥ ટીકાનો ભાવાર્થ – જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભનો ઈચ્છુક સાધુ જ સમાધિનો ઈચ્છુક કહેવાય છે. સંયમની પ્રવૃત્તિઓમાં પુરુષાર્થ કરવાવાળો શ્રમણ કહેવાય છે. છઠ્ઠ, અટ્ટમ વગેરે કરવાવાળો તપસ્વી કહેવાય છે. એવા શ્રમણ તપસ્વી અને સમાધિની ઈચ્છાવાળા મુનિ આ પ્રકારની ઈચ્છાઓ(અર્થાત્ આગળ કહેવામાં આવશે એવી ઈચ્છાઓ) રાખે. જે સંયમ સમાધિના આવશ્યક અંગ છે તેનું સદા ધ્યાન રાખે. તે શું છે? તે આગળ કહીએ છીએ– સૌ પ્રથમ એષણીય દોષ રહિત આહારની ભાવના રાખે અર્થાત્ મારા સંયમ જીવનમાં આહાર આદિ(પાણી, વસ્ત્ર, શધ્યા) માં કોઈ પ્રકારનો દોષ નહિ લાગવો જોઈએ. મારી ગવેષણા શુદ્ધ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org