________________
કે
ઉપદેશ શાસ્ત્ર પરિશિષ્ટ-૧: એકલવિહાર
ત્તિ પણ એકલા રહેવાનો પણ સ્વીકાર કરી લે (ઇચ્છા કરે) એવું કરવાથી પણ મોક્ષ મળી શકે છે. અહીં પણ ગવેષણા દોષના પ્રસંગમાં એકલવિહારનો નિર્દેશ છે અને એકલાથી મોક્ષ નથી મળતો, એવા ભ્રમમાં ન રહેવાનો નિર્દેશ છે. જેને આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પ્રશત કહ્યો છે. ૧૦. ઠાણાંગ સૂત્ર આઠમા ઠાણામાં – એકલવિહાર કરવાવાળાની યોગ્યતાના આઠ ગુણ બતાવ્યા છે. તેમાંથી ૬ ગુણો માટે છઠ્ઠા ઠાણામાં બતાવ્યું છે કે એ છે ગુણોવાળા સંઘાડાનો મુખી બની શકે છે. તેની અપેક્ષા અહીં બે ગુણવિશેષ બતાવ્યા છે – (૧) ધૈર્યવાન અને (૨) ઉત્સાહી જેનો અભિપ્રાય એટલો જ છે કે ૧. એકલા રહેવામાં રોગની સ્થિતિ વગેરેમાં ધર્યની અત્યંત આવશ્યકતા રહે છે અને ૨. એકલા રહેવામાં સદા આનંદ માનવાની રુચિ અને લાગણીરૂપ ઉત્સાહ પણ હોવો આવશ્યક છે. બાકી વિશેષણ તે જ છે જે સંઘાડાની આગેવાની કરીને વિચરણ કરનારમાં હોય છે.
કેટલાક સેકડો વર્ષોથી એકલવિહારનો એકાંતરૂપથી નિષેધ કરવાની પ્રવૃત્તિ જૈન સમાજમાં થઈ જવાથી તે છ ગુણોનો અહીં જુદો અર્થ કરીને વજ ઋષભનારાચ સંઘયણ અને નવપૂર્વનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ એવો અર્થ કરી દેવામાં આવેલ છે, પરંતુ મૂળપાઠમાં તો માત્ર બે ગુણ જ વધારે કહ્યા તેનાથી કોઈ એવો અર્થ નીકળતો જ નથી. મૂળમાં ક્યાંય ૯ પૂર્વનું જ્ઞાન અને વજ ઋષભ નારાચ સંઘયણ કહેલ જ નથી.
જો અહીં છ શબ્દોનો એવો અર્થ કરશું તો કોઈને માટે સંઘાડા પ્રમુખ–મુખી બનવાનું પણ કલ્પશે નહિ. આથી જેનામાં સંઘાડાના મુખી બનવાની યોગ્યતા છે, તેનામાં બે ગુણ અધિક હોય તો તે એકલવિહારની યોગ્યતાવાળા કહેવાય છે, એવું મૂળ પાઠથી સાબિત થાય છે. પૂર્વનું જ્ઞાન અને પ્રથમ સંઘયણની પ્રરૂપણા તો જબરજસ્તી જોડવામાં આવી ગયેલ છે. ભિક્ષુપડિમા આદિ માટે વિશિષ્ટ સંઘયણ બલ આવશ્યક થઈ શકે કારણકે તેમાં વિશિષ્ટ તપ, સંપૂર્ણ રાત્રિનો કાઉસગ્ન વગેરે અનેક નિયમ હોય છે. જ્યારે ઉપરોકત શાસ્ત્રોના પ્રમાણવાળી આ એકલવિહાર ચર્યા એક જુદી જ સપરિસ્થિતિક સાધના છે, પરંતુ પડિમા નથી.
આગળદશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રના વિવેચન જોવાથી ધ્યાનમાં આવશે કે ૯ પૂર્વનું જ્ઞાન અને સંઘયણનું કથન કેટલું આગમ સંમત છે? ૧૧. વ્યવહાર સૂત્રના આઠમા ઉદ્દેશામાં –એવા એકલવિહારી સ્થવિરકલ્પીનું વર્ણન છે કે જેમને ડંડો, લાઠી, છત્ર, ચર્મ વગેરે અનેક ઉપકરણ રાખવા પડે છે અને તે સ્વયં ગોચરી જતા હોય ત્યારે શું કરવું જોઈએ એ વાતનું વર્ણન છે. એમાં વૃદ્ધાવસ્થા, એકલાપણું અને સ્થવિરકલ્પીપણું એ ત્રણે વાતો વિચારવા યોગ્ય છે. વિશેષ માહિતી માટે આગમ પ્રકાશન સમિતિ વ્યાવરના છેદ સૂત્રોમાં તથા આ સારાંશ પુસ્તકોના ચોથો ભાગ છેદ શાસ્ત્ર પૃષ્ટ ૧રપ અને ૧૮રમાં જુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org