________________
૧૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
બતાવતાં વચ્ચે બતાવવામાં આવેલ છે કે સાધ્વીઓએ એકલા ગોચરી, વડીનીત, વિહાર વગેરે કોઈ પણ કાર્ય કરવું ઉચિત નથી. ત્યાં સાધુ માટે કાંઈ પણ કહેલ નથી. ૪. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૪ માં આચાર્ય ઉપાધ્યાયને એકલા વિહાર કરવાની મનાઈ કરવામાં આવી છે અને ત્યાં પણ સામાન્ય સાધુ માટે કાંઈ પણ કહેવામાં આવેલ નથી.
-----
૫. વાસ્તવમાં બત્રીસ સૂત્રના મૂળ પાઠ માં ‘એવી કયાંય એક લીટી પણ નથી લખેલ કે 'કોઈપણ સાધુએ એકલા ન રહેવું અને રહે તો પ્રાયશ્ચિત્ત !’ પરંતુ દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રની મૂળ ગાથામાં અમુક પરિસ્થિતિમાં સાધુએ એકલા જ વિચરવું એવો સ્પષ્ટ પ્રેરણાત્મક પાઠ છે.
--
૬. આચારાંગ સૂત્ર, અધ્યયન-૫ માં ઃ- (૧-૫-૪) માં બતાવવામાં આવેલ છે કે એકલ વિહાર ચર્યા એના માટે ખરાબ હોય છે કે જે અવ્યક્ત છે- શ્રુતજ્ઞાનથી, શ્રધ્ધાથી અને સ્થિરતાથી અને જે વાત વાતમાં કષાય કરે, તેના માટે આવતી અનેક મુશ્કેલીઓ પાર કરવી મુશ્કેલ બની જાય છે. માટે હે સાધક! આવું તારે ન બને તેનો હંમેશા વિચાર કરજે - એ જ્ઞાનીઓનું ફરમાન છે.
૭. આચારાંગ સૂત્ર, શ્રુ-૧, અધ્યયન : ૫-૧ તથા અધ્યયન ઃ ૬-૨ :-- એકલવિહારી સાધુ સંબંધી કથન કરવામાં આવેલ છે. પાંચમાં અધ્યયનમાં કહેવામાં આવેલ છે કે – આ જૈન શાસનમાં કોઈક એકલ વિહારી એવા હોય છે, જેમ કે --બહુ ક્રોધી, બહુમાની, બહુ માયાવી, અતિ લોભી, અતિ બોલનાર, વાંગ કરનારા, દોષ છુપાવનારા, ઉત્કૃષ્ટતા બતાવનાર, ગુપ્તપણે ઘણાં બધાં દોષોનું સેવન કરનાર વગેરે તથા તેનાથી વિતરીત છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે ‘આ જૈન શાસનમાં કોઈક એકલવિહાર ચર્યાવાળા એવા હોય છે, કે જે ગવેષણાની રુચિવાળા તથા સર્વ શુધ્ધિથી સંયમ પાળનાર હોય છે. તેઓ ધર્મબુધ્ધિથી વિચરણ કરતાં કરતાં લાભ-અલાભ, કષ્ટ વગેરે બધું જ શાંતિથી સહન કરે છે. હવે આપણે વિચારવું રહ્યુ કે શું આ બંને પ્રકારના સાધુને નવપૂર્વી કે પડિમાધારી કહી શકાય ? કે તેઓ સાધારણ એકલ વિહારી છે ?
૮. સૂયગડાંગ સૂત્ર બીજા અધ્યયનમાં કહ્યું છે કે :-- ઘેરે નાળમાસળે, સયળે સમાહિÇ સિયા । વિશેષ સાધના માટે એકલવિહાર ચર્ચા કરનાર ભિક્ષુએ વિચરણ, સ્થાન, શયન, આસન વિગેરેમાં સમાધિયુક્ત રહેવું જોઈએ. આ રીતે અહીંયા આસન, શયન, સ્થાન તથા વિચરણમાં એકત્વની પ્રેરણા છે.
૯. સૂયગડાંગ સૂત્ર અધ્યયન દશ ગાથા–૧૧–૧૨ માં કહ્યું છે કે :– ભિક્ષુ આધાકર્મી દોષ સહિત આહારની ઇચ્છા પણ ન કરે. તેવા સાધુઓની સાથે પરિચય સંસર્ગ પણ ન રાખે. પરંતુ પોતાના કર્મોનો ક્ષય કરવામાં લાગ્યો રહે. આ પ્રસંગે આગળની ગાથામાં કહ્યું છે કે ત્તમેય અભિપત્થખ્ખા, વ પમોવસ્ત્રો ન મુસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org