________________
૨૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
આપી દો. ન્યાયાધીશનો આ આદેશ સાંભળીને એક સ્ત્રી મૌન રહી, પરંતુ બીજી સ્ત્રીનું હૃદય વિંધાઈ ગયું. તેણીએ કકળતા હૃદયે કહ્યું– સાહેબ આ બાળક પેલી સ્ત્રીનો છે તેને આપી દો મારા ધણીની બધી સંપત્તિ પણ તેને આપી દો. હું દરિદ્ર અવસ્થામાં રહીશ પણ આ બાળકને જીવિત જોઈને આનંદપૂર્વક દિવસો વ્યતીત કરીશ.
ન્યાયાધીશે પેલી સ્ત્રીનું દુઃખિત હૃદય જોઈને જાણી લીધું કે બાળકની અસલી માતા આ જ છે, માટે તે ધનસંપત્તિ જતી કરીને પણ પોતાના બાળકને જીવિત રાખવા ઈચ્છે છે. પછી ન્યાયાધીશે દીકરો તથા વ્યાપારીની બધી સંપત્તિ અસલી માતાને સુપ્રત કરી અને વંધ્યા સ્ત્રીને તેની ધૂર્તતા માટે કાંઈ આપ્યું નહીં. આ છે ન્યાયાધીશની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ. (૩૧) મધુસિત્થ–મધપૂડો :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તેની પત્નીનું આચરણ સારું ન હતું. એક વખત વણકર કોઈ અન્ય ગામ ગયો. પાછળથી તેની પત્નીએ કોઈ અન્ય પુરુષની સાથે અનૈતિક સંબંધ બાંધી દીધો.
પત્ની અન્ય પુરુષની સાથે જ્યાં ગઈ હતી, ત્યાં તેણે જાળ બિછાવેલા વક્ષની મધ્યમાં એક મધપૂડો જોયો પરંતુ તેના તરફ તેણીએ બહુ ધ્યાન આપ્યું નહી અને તે પોતાના ઘરે ચાલી ગઈ. તેનો પતિ પણ બહારગામથી ઘરે આવી ગયો હતો.
એકવાર વણકર મધ લેવા માટે બજારમાં જતો હતો પણ તેની પત્નીએ કહ્યું- તમે મધ લેવા બજારમાં શા માટે જાઓ છો? મેં આ બાજુમાં રહેલી વૃક્ષની સઘન ઝાડીમાં એક મોટો મધપૂડો જોયો છે, ચાલો તમને બતાવું. એમ કહીને તેણી પોતાના પતિને પેલા જાળ બિછાવેલા વૃક્ષની પાસે લઈ ગઈ પણ ત્યાં તેને મધપૂડો દેખાયો નહીં, તેથી તે સઘન વૃક્ષની ઝાડીમાં તેના પતિને લઈ ગઈ. આગલા દિવસે જ્યાં તેણીએ અનાચારનું સેવન કર્યું હતું ત્યાં મોટો મધપૂડો હતો. પતિએ તેની ઔત્પાતિકી બુદ્ધિથી જાણી લીધું કે મારી પત્ની આ સ્થાન પર નિરર્થક અહીં આવી ન શકે, નિશ્ચય તે કોઈ અન્ય પુરુષ સાથે દુરાચારનું સેવન કરતી હશે. (૩૨) મુદ્રાઓ :- કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે સત્યવાદી હતો. જનતામાં એવી છાપ હતી કે આ પુરોહિતને ત્યાં થાપણ રાખવામાં આવે તો તે ગમે તેટલો સમય વ્યતીત થઈ ગયો હોય તો પણ પાછી આપે છે. આ વાત સાંભળીને એક ગરીબ ભીખારી પોતાની હજાર સોનામહોર એક વાંસળીમાં ભરીને પુરોહિતના ઘરે આવ્યો અને તેણે પુરોહિતને પોતાની થાપણ સાચવવાનું કહ્યું. પુરોહિતે તે વાંસળીને સાચવીને મૂકી દીધી.
ભીખારી ત્યાંથી દેશાંતર ચાલ્યો ગયો. ઘણો સમય વ્યતીત થયા બાદ તે ગરીબ ભિખારી પોતાના સ્વઘરે પાછો આવ્યો અને પુરોહિત પાસે પોતાની થાપણ લેવા ગયો. પરંતુ પુરોહિતે કહ્યું હું તારી વાંસળી વિષે કંઈ જાણતો નથી. તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારી થાપણ મારે ત્યાં છે જ નહીં, એમ કહીને ભીખારીને ત્યાંથી તેણે રવાના કર્યો. ભિખારીને પોતાની સંપત્તિ ન મળવાથી પાગલ બની ગયો. ગામમાં તે ચારે બાજુ ફરતાં ફરતાં બોલ્યા કરતો હતો કે હજાર સોનામહોરની વાંસળી. વારંવાર આ શબ્દનો જ ઉચ્ચાર કરતો હતો. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org