SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ધર્મ હેતુએ આવતા સમયે પણ તે દેવલોકની મૂર્તિઓના દર્શન કરતા નથી, કેવળ જન્મ સમયે જ તે દેવો પોતાના જીતાચાર મુજબ કરે છે. તેથી આ સૂત્રમાં વર્ણિત જે પૂજા વગેરે ક્રિયા છે, તેને સાધ્વાચાર કે શ્રાવકાચાર સાથે જોડવી નહિ. ૧૪ (૧૨) ચાર જ્ઞાન યુક્ત યુગ પ્રધાન કેશી શ્રમણ તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના હોવા છતાં પ્રદેશી રાજાને કોઈ તીર્થ સ્થળ કે મંદિર બનાવવાની પ્રેરણા આપી નથી. તીર્થયાત્રા કરવાનો પણ ક્યાંય સંકેત કરવામાં આવ્યો નથી અને શંખેશ્વર પાર્શ્વનાથનું પણ નામ તેને આપ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે તે વખતે મૂર્તિપૂજા, તીર્થ, મંદિરની યાત્રા જૈન સાધુ કે શ્રાવક સમાજમાં ન હતી. અર્વાચીન ગ્રન્થોમાં મંદિર આદિનું વર્ણન જોડ્યું છે તે સૂત્ર અતિરિક્ત છે. (૧૩) સૂર્યાભ વિમાનની સુધર્મા સભાના સિદ્ધાયતન વર્ણનમાં ૧૦૮ જિન પ્રતિમાઓનું નામ વિનાનું વર્ણન છે અને દરવાજાની બહાર સ્તૂપ તરફ મુખવાળી તેમજ વર્તમાન ચોવીસીના ઋષભ અને વર્ધમાનના નામ વાળી તથા ઐરવત ક્ષેત્ર ના પ્રથમ અને અંતિમ તીર્થંકરના નામ પણ તેમા જોડાયા છે. શાશ્વત પ્રતિમાઓમાં વર્તમાનના ચોથા આરાના ચાર તીર્થંકરોનાં નામ હોવા ખરેખર સંદેહ પૂર્ણ છે. તેથી તે પાઠની કાલ્પનિકતા અને પ્રક્ષિપ્તતા પ્રગટ થાય છે. (૧૪) તીર્થંકર ભગવંતોને અને શ્રમણોને પરોક્ષ વંદન, મોદ્યુ ંના પાઠથી કરવામાં આવે છે. તે વંદન ભલે દેવ-મનુષ્ય કરે, દેવ સભા, રાજ સભા, પૌષધશાળા કે ઘરમાં બેઠા ક૨ે. તેમજ તેઓને પ્રત્યક્ષ વંદન તિવ્રુત્તોના પાઠથી કરાય છે, ચાહે શ્રાવક હોય કે દેવ. સિદ્ધોને વંદન સદાય મોડ્યુળના પાઠથી જ કરવામાં આવે છે. કારણ કે તેઓ હંમેશા પરોક્ષજ હોય છે. આ તથ્ય પ્રસ્તુત સૂત્રના પ્રસંગોથી કે અન્ય સૂત્રમાં આવેલા પ્રસંગોથી સિદ્ધ થાય છે. મોક્ષ પ્રાપ્ત તીર્થંકરોને સિદ્ધપદથી વંદન કરવામાં આવે છે. કૃચ્છામિ સમાસમળોના પાઠથી ઉત્કૃષ્ટ વંદન ફક્ત પ્રતિક્રમણ વેળાએ જ કરવામાં આવે છે. અન્ય સમયમાં અથવા અન્યત્ર આ ઉત્કૃષ્ટ વિધિથી વંદન ક્યાંય કરવામાં આવ્યા નથી. મોસ્થુળ તથા તિવ્રુત્તોના પાઠથી વંદન બતાવ્યા છે. શ્રમણોને જે ખમોત્થાઁથી વંદન કરવામાં આવે છે તેમાં તીર્થંકરોના સંપૂર્ણ ગુણોનું ઉચ્ચારણ ન કરતાં નીચે પ્રમાણે સંક્ષિપ્તમાં બોલવામાં આવે છે, મોટ્યુન केसिस्स कुमार समणस्स मम धम्मायरियस्स धम्मोवएसगस्स भने विशिष्ट જ્ઞાની ગુરુ होय तो वंदामि णं भंते! तत्थगए इहगयं, पासउ मे भगवं तत्थगए રૂદાય તિ ટુ વયર્ ળમંસ.' એટલું અધિક બોલવું જોઈએ. ઉપકારી શ્રમણોપાસકને પણ પરોક્ષ વંદન મોદ્યુળના પાઠથી કરાય છે. ઔપપાતિક સૂત્રમાં નમોઘુળ અંત્રડમ્સ પરિવ્યાયામ્સ(સમળોવાસાફ્સ) अम्हं धम्मायरियस्स धमोवएसगस्स । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004924
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy