________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
શ્રમણોચિત વ્યવહાર ન કરતાં, વિપરીત રૂપે વર્તન કરી રહ્યા છો તે માટે મારે તમારી સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરવો જ યોગ્ય છે, તમે આ નથી સમજી શકતા ? રાજા :– પોતાનો આશય સ્પષ્ટ કરતાં રાજાએ કહ્યું કે પ્રારંભના વાર્તાલાપથી જ હું સમજી ગયો હતો કે આ વ્યકિત સાથે જેટલો વિપરીત વ્યવહાર કરીશ તેટલો જ્ઞાનલાભ વધુને વધુ થશે. તેમાં લાભ થશે નુકશાન નહિ . હું તત્ત્વ જ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ ચારિત્રને પ્રાપ્ત કરીશ. જીવ અને જીવના સ્વરૂપને સમજીશ. તે કારણે જ હું તમારી સાથે વિપરીત વર્તન કરતો'તો. હે ભંતે ! આપ તો સમર્થ છો. મને હથેળીમાં રાખેલા આંબળાની જેમ આત્માને બહાર કાઢી બતાવો.
૧૮
કેશી :– હે રાજન્ ! આ વૃક્ષના પાંદડા આદિ હવાથી હલી રહ્યા છે, તો હે રાજન્ ! તું આ હવાને આંખોથી જોઈ નથી શકતો, હાથમાં રાખી કોઈને દેખાડી નથી શકતો તો પણ તેના અસ્તિત્વનો સ્વીકાર તો કરે જ છે. તે પ્રકારે હે રાજન્ ! આત્મા હવાથી પણ સૂક્ષ્મ છે અર્થાત્ હવા તો રૂપી પદાર્થ છે પણ આત્મા અરૂપી છે. તેને હાથમાં કેવી રીતે દેખાડી શકાય ? તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે હવાની સમાન આત્મા પણ સ્વતંત્ર અચક્ષુગ્રાહય તત્ત્વ છે.
[કોઈ વ્યકિત L.L.B. પાસ હોય, તેને પ્રત્યક્ષ જાણવા માટે કોઈ ડૉક્ટર તેના જ શરીર, મસ્તક આદિને કાપીને જોવા-જાણવા ઇચ્છે કે 'હું પ્રત્યક્ષ જોઉં; તો તે સફળ નથી થઈ શકતો. જો જ્ઞાનને આ રીતે નથી જોઈ શકાતું તો જ્ઞાનીને (આત્માને) પ્રત્યક્ષ જોવાનો સંકલ્પ કરવો અયોગ્ય છે.
જમીનમાં આંબો, દ્રાક્ષ, શેરડી, મરચા આદિના પરમાણુ રહે જ છે તેવી શ્રદ્ધાથી કોઈ વ્યક્તિ બીજ વાવે તો ફળ પ્રાપ્ત કરી શકે. પરંતુ કોઈ ધરતીને ખોદી તેના કણ-કણમાં તે આમ્ર, દ્રાક્ષ, શેરડી, મરચાના પરમાણુઓને પ્રત્યક્ષ જોવાનો પ્રયત્ન કરે તો તેને ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ રૂપી પદાર્થ પણ રૂપી હોવા છતાં સામાન્ય જ્ઞાન વાળાને દષ્ટિગોચર નથી થતા તો આત્મા જેવો અરૂપી અને અતિ સૂક્ષ્મ પદાર્થ જોવાની કલ્પના કરવી તે બાલિશતા છે, નાદાનીયત છે.
તેથી આત્મા, પરલોક, પુદ્ગલ પરમાણુ, સૂક્ષ્મ સમય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવની આદિ(પ્રારંભ) તૈજસ, કાર્મણ શરીર અને કર્મ આદિ કેટલાક તત્ત્વ સામાન્ય જ્ઞાનીઓ માટે શ્રદ્ધા ગમ્ય અને બુદ્ધિ ગમ્ય હોય છે. પરંતુ પ્રત્યક્ષ ગમ્ય નહિ.
રાજા :- ભંતે ! જીવને અલગ તત્ત્વ માનશું તો તેનું પરિમાણ, કદ કે માપ કેટલું માનવું ? તે આત્મા ક્યારેક હાથીની વિશાળ કાયામાં અને ક્યારેક કીડી જેવા નાના શરીરમાં કેવી રીતે રહી શકે ? જો તેનું કદ કીડી જેટલું માનીએ તો હાથીના શરીરમાં કેવી રીતે રહી શકે ? અને જો હાથી જેટલું કદ માનીએ તો કીડીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org