SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર રહેતા. ગમે ત્યારે વિરક્ત થઈ ત્યાગ કરે છે. (૨) સંયમ સ્વીકાર ન થાય ત્યાં સુધીમાં શ્રાવકવ્રતોને અવશ્ય ધારણ કરી લેવા જોઈએ. દશે અધ્યયનમાં વર્ણિત રાજકુમારોએ વિપુલ ભોગમય જીવન જીવતાં છતાં સંપૂર્ણ બારવ્રત સ્વીકાર ક્યાં હતા. (૩) સુપાત્ર દાન દેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ અને સંસાર પરિત થાય છે. મનુષ્ય આયનો બંધ અન્ય કોઈ ક્ષણે થાય છે. કારણ કે સંસાર પરિરીકરણ સમ્યકત્વ પ્રાપ્તિ પછી થાય છે. અને સમ્યકત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય નથી બંધાતું, ભિગવતી સૂત્ર પ્રમાણે. તેથી સુબાહુકુમારનો આયુબંધ અન્ય ક્ષણે થયો તેમ માનવો જોઈએ. (૪) ઘરમાં મુનિરાજ ગોચરીએ પધારે ત્યારે વિધિપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. તે સુદત્ત શેઠની જેમ સમજવું. ઘરમાં મુનિરાજ પધારતાં જો અતિભક્તિ યા અભક્તિના અવિવેક પૂર્ણ એવં દોષયુક્ત વ્યવહાર થતા હોય તો તેમાં સંશોધન કરવું (૫) ગોચરી અર્થે પધારતાં મુનિવરને વંદન-નમસ્કારનું જે વર્ણન છે તે ત્રણ વખત ઊઠબેસ કરવું તેમ નથી. રસ્તામાં કે ગોચરીના સમયે કેવલ વિનય વ્યવહાર જ કરવાનો હોય છે. હાથ જોડી મસ્તક નમાવી 'ફ્લેખ વષિ' કહેવું. તિ+પુત્તોના પાઠથી ત્રણ વખત વંદન કરી ચરણ સ્પર્શ કરી મુનિને અટકાવતાં અવિનય અને આશાતનાના દોષી બનાય છે. (૬) મુનિરાજને જોતાં દૂરથી જ અભિવાદન કરવું. આસન છોડવું, પગરખા કાઢ વા એ વિના વ્યવહાર છે, નજીક આવતા ઉત્તરાસન મુખે રાખવું, એટલે ખુલ્લા મુખે ન રહેવું. (૭) સુપાત્ર દાન દેતાં સૈકાલિક હર્ષ થવો જોઈએ. દાન દેવાનો અવસર પ્રાપ્ત થતાં, દાન દેતાં અને દાન દીધા પછી, આમ ત્રણે ય વખત ઉત્કૃષ્ટ ભાવ રહેવા જોઈએ (૮) સુપાત્રદાનની ત્રણ શુદ્ધિ- (૧) દાતાનો ભાવ શુદ્ધ હોય, (૨) લેનાર મુનિરાજ સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત હોય (૩) દાનના પદાર્થ અચિત તેમજ એષણીય હોવા જોઈએ. (૯) ત્રણ શુદ્ધિ, ત્રણ હર્ષ અને દીર્ઘ તપશ્ચર્યાનું પારણું હોય તો દેવતાઓ પણ ખુશ થઈ પાંચ દિવ્ય પ્રગટ કરે તેવા સંયોગ મળી જાય છે. (૧૦) પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિમાં દેવકૃત અચિત પુષ્પ સમજવા. કાન - ---- ના - - - - - - - - - - - - - - - - - - * * * - - -- S* - * -- છે, [660 વિપાક સૂત્ર સંપૂર્ણ કવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004924
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy