SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક અહંનો ધ્વનિ કરે તો સાથે સાથે એ ભાવના કરે કે અર્હમ્ના તરંગો ચારેબાજુ ફેલાઈ રહ્યા છે, ગાઢ બની રહ્યા છે. કવચનું નિર્માણ થઈ રહ્યું છે. થોડા જ સમયમાં એવું લાગશે કે જાણે સમગ્ર શરીરની આજુબાજુ - ચારે બાજુ બે ફૂટ - ત્રણ ફૂટનું ગોળાકાર કવચ બની ગયું છે. સાધક તેમાં પોતાને સુરક્ષિત અનુભવ કરશે. આ ભાવના યોગસાધનાનું ઘણું મોટું આલમ્બન છે. સાધકો તેનો અભ્યાસ કરે. અર્હમ્-ધ્વનિની વિધિ : પહેલાં પૂરો શ્વાસ ભરી પછી તેને ધીરે ધીરે છોડતી વખતે અર્હમ્નું આ પ્રમાણે ઉચ્ચારણ કરવું : “અ’ બોલતી વખતે ચિત્ત નાભિ પર, સમય બે સેકંડ. ‘રૂ’ બોલતી વખતે ચિત્ત આનંદ કેન્દ્ર (છાતીની વચ્ચે) ૫૨. સમય - ક્ષણભર, ‘હ’ બોલતી વખતે ચિત્ત વિશુદ્ધિ કેન્દ્ર (કંઠ) પર. સમય - ત્રણ સેકન્ડ, ‘મ’ વખતે ચિત્ત વિશુદ્ધિ કેન્દ્રથી જ્ઞાનકેન્દ્ર સુધી એકાગ્ર રાખવું, સમય છ સેકંડ. છેલ્લા નાદ વખતે ચિત્તને જ્ઞાનકેન્દ્ર પર એકાગ્ર રાખવું. સમય એક સેકંડ અને એક સેકંડનો સમય શરૂઆતના નાદ માટે રાખવો. (૩) મહાપ્રાણ ધ્વનિ : મહાપ્રાણ ધ્વનિ એ અર્હમ્ અને ૐ ધ્વનિના છેલ્લા અક્ષર “મ્” થી નિર્મિત છે. મકા૨ ધ્વનિ એટલે મહાપ્રાણ ધ્વનિ. મહાપ્રાણ ધ્વનિ મુખ્ય રૂપે મસ્તિષ્કીય ક્ષમતાઓને જગાડવામાં તથા શરીરનાં સુપ્ત કેન્દ્રોને જાગૃત કરવામાં ઉપયોગી છે. ધ્યાન પહેલાં ધ્વનિ કરવાથી ચારે બાજુ સુરક્ષાત્મક કવચનું નિર્માણ થાય છે, જેથી સાધક ધ્યાનના ઊંડાણમાં સહેલાઈથી જઈ શકે છે. · • ધ્વનિ શા માટે ? (લાભ) : (૧) ધ્યાન માટે શુદ્ધ આભા-વલય એટલે કે સુરક્ષાત્મક કવચનું નિર્માણ થાય છે. (૨) યાદશક્તિ વધે છે. (૩) અવાજ મધુર બને છે. (૪) છાતી અને મગજની માલિશ થાય છે. (૫) શ્વાસ લાંબો થાય છે. • ધ્વનિ કેવી રીતે ? (વિધિ) : એક આસન, એક મુદ્રા, આંખ બંધ, કરોડરજ્જુ અને ગરદન સીધાં, હોઠ બંધ, દાંત ખુલ્લા, મન જ્ઞાનકેન્દ્ર - ચોટીના ભાગ ઉપર એકાગ્ર રાખી લાંબો શ્વાસ ભરી ધ્વનિ શરૂ કરવો. ધ્વનિ કયારે ? (સમય) : (૧) સવારે ઊઠીને તથા રાતના સૂતી વખતે (૨) ભોજનના બે કલાક પછી ગમે ત્યારે કરી શકાય. (૩) ધ્યાન કરતાં પહેલાં ધ્વનિ અવશ્ય કરવો. • ધ્વનિ કેટલી વખત ઃ સામાન્ય રીતે ધ્વનિ નવ વખત કરી શકાય. સમયના હિસાબે ધ્વનિ અતિ કે વધારે કરી શકાય. પ્રશ્ન : ધ્વનિનું મહત્ત્વ સમજાવી ધ્યાનમાં તેની ઉપયોગિતા શી છે, જણાવો. Jain Education International For Private & Jional Use Only www.jainelibrary.org
SR No.004922
Book TitlePrashikshaka Prashikshana Part 1
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherUSA Jain Center Cincinnati OH
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy