SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ અને ઉપકેશાદિ ગચ્છોના વિરોધી છે. (૫૦) અમારા સાંભળવામાં તો એવું આવ્યું છે કે, બિચારા શ્રી રાજેન્દ્રસૂરિજી તો ત્રણ થોયના અસત્ય મતને છોડવાની ભાવના રાખે છે. પરંતુ દુરાગ્રહી શ્રીધનવિજયજી છોડવા દેતા નથી. વળી આ પોથીથી એ પણ સિદ્ધ થાય છે કે, શ્રીધનવિજયજીને પ્રાકૃતસંસ્કૃત વ્યાકરણનું પણ યથાર્થ જ્ઞાન નથી. શ્રીધનવિજયજીએ પોતાની પોથીમાં અસત્ય લખવામાં કશી જ કસર રાખી નથી. અમે કેટલી ભૂલો બતાવીએ ! સુજ્ઞવાચકો પોથી જોશે ત્યારે તેમને સ્વયં જોવા મળશે જ. પરંતુ ૧૫'મા પરિચ્છેદમાં પૃષ્ટ-૬૧૮ થી સમાપ્તિ પર્યંત તો તેમણે એટલું અસત્ય લખ્યું છે અને એટલી પોતાની અજ્ઞતા-નિર્વિવેકતાદિ પ્રગટ કર્યા છે કે, જેનાથી જૈનધર્મી કે અન્યમતવાળા સુજ્ઞપુરુષો તેમને ધિક્કાર આપ્યા વિના કદાપિ રહી ન શકે અને તેમને ભવભીરુ, યથાર્થ અક્ષરના બોધવાળા પણ કદાપિ નહી માને. આથી ૧૫'મા પરિચ્છેદમાં જે મહામૃષાવાદરૂપ ઉત્સુત્ર લખ્યું છે, તેનાથી તેમની અને તેમના અનુયાયીઓની તથા ભવ્યાત્માઓની મનમાં દયા લાવીને લખું છું કે જેથી બિચારા ભોળા જીવો આ ઉત્સુત્ર ભાષીના લેખોને સાચા માનીને સંસારમાં ભ્રમણ ન કરે. (૫૧) તથા ૬ તત્પાદ: સુવિયા ૪ માસાયTIઈ સુવા जीए सुयमहिट्टि अंतीए आसायणा नत्थि सा अकिंचित्करी वा एवमादि ॥ ભાવાર્થ :- શ્રુતદેવી કે જેને શ્રુત અધિષ્ઠિત છે, તે શ્રુતદેવીની આશાતના, મૃતદેવી નથી, છે તો શું કરનારી છે? એમ કહે તો આશાતના. (અર્થાત્ જેને શ્રુત અધિષ્ઠત છે, તે શ્રુતદેવી માટે એમ કહેવામાં આવે કે, “શ્રુતદેવી નથી. મૃતદેવી હોય તો પણ શુ કરનારી છે?” – ઇત્યાદિ શ્રુતદેવીની આશાતના છે.) तथा च आवश्यक बृहद्वृत्तौ तत्पाठः ॥ श्रुतदेवताया आशातना क्रियाप्राग्वत् आशातना तु श्रुतदेवता सा न विद्यते अकिंचित्करी वा नानधिष्ठितो मौनींद्रः खल्वागमः अतोऽसावस्ति न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004920
Book TitleChaturtha Stuti Nirnaya Part 1 2
Original Sutra AuthorN/A
AuthorAtmaramji Maharaj
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2007
Total Pages386
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy