SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ • • • • • • • • • • શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ સ્વકપોલકલ્પિત સામાચારીને સુધર્મગચ્છની સામાચારી કહેવી, તે પણ ઉત્તમજનોનું લક્ષણ નથી. તથા જેમનું પોતાની પટ્ટાવલીમાં નામ લખીને પોતાના મોટા ગુરુ તરીકે માનવા, પુનઃ તેમની જ સામાચારીને જુઠી માનવી, તેનાથી તો ગુરુ પણ જુઠા સિદ્ધ થયા ! જયારે શ્રીરત્નવિજયજી-ધનવિજયજીના ગુરુ જુઠા હતા, ત્યારે તો તે બંનેની ગતિ શી થશે ! (૪૯) નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિજી દ્વારા વિરચિત સામાચારી: "पुण पणवीसुस्सासं, उस्सग्गं करेइ पारए विहिणा । तो सयल कुशल किरिया, फलाणसिद्धाणं पढइ थयं ॥१४॥ अह सुय समिद्धि हेडं, सुयदेवीए करइ उस्सग्गं । चिंतेइ नमुक्कारं सुणइ देइ तिए थुइ ॥१५॥ एवं खित्तसुरीए उस्सग्गं करेइ सुणइ देइ थुई। पढिउण पंचमंगल, मुवविसइ पमज्ज संडासे ॥१६॥ इत्यादि । ભાવાર્થ સુગમ છે. શ્રીનિવલ્લભસૂરિ વિરચિત સામાચારીમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવી અને ત્યારબાદ પ્રતિક્રમણના અંતમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવી. આ કથન સ્પષ્ટતયા ૧૫-૧૬મી ગાથામાં કર્યું છે. નોંધ :- જયારે નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિજી દ્વારા વિરચિત સામાચારીમાં પૂર્વોક્ત લેખ છે, ત્યારે તો શ્રીઅભયદેવસૂરિજીથી તથા તેઓશ્રીની ગુરુ પરંપરાથી પણ ચાર થોયની ચૈત્યવંદના અને શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કહેવી નિશ્ચયથી સિદ્ધ થાય છે. તો પછી કોઈ વાદવિવાદની જરૂર નથી. તેથી શ્રીરત્નવિજયજી-ધનવિજયજી ત્રણ થોયના કદાગ્રહ છોડી દે તો એમને અલ્પક માનશું ! , , , , , , , , , , , , , , , , , , , , , , , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004920
Book TitleChaturtha Stuti Nirnaya Part 1 2
Original Sutra AuthorN/A
AuthorAtmaramji Maharaj
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2007
Total Pages386
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy