SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧પ૩ પારીને થોય કહે છે. તે દંડક અને થોય-બંનેના યુગલથી મધ્યમ ચૈત્યવંદના થાય છે. કલ્પમાં “નિસ્ટકડ” ઇત્યાદિ ગાથાથી આ ભેદ) કહ્યો છે. રા. શક્રસ્તવાદિ પાંચ દંડક, ચાર થાય અને પ્રણિધાન પાઠથી સંપૂર્ણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. ૩] સંઘાચાર વૃત્તિમાં આ ગાથાના વ્યાખ્યાનમાં બૃહભાષ્યની સમ્મતિથી નવપ્રકારની ચૈત્યવંદના કહી છે. તથા તત્પરત્વેશ: I “પતાવતા તિહાડ વંળય.” ઇત્યાદિ દ્વારા ગાથાગત “તુ' શબ્દથી સૂચિત નવ પ્રકારની ચૈત્યવંદના જાણવા યોગ્ય છે. ૩ ૨ વૃદMાથે | અહીં જે બૃહદ્દભાષ્યની જે ગાથાઓ છે. તેનો અર્થ પૂર્વે અહીં કહેલો છે, ત્યાંથી જોઈ લેવો. નોંધ:- આ પ્રમાણે જયારે જૈનમતના શાસ્ત્રોમાં પ્રગટ પાઠ છે... તો શ્રીરત્નવિજયજીએ આ શાસ્ત્ર જોયેલું નહિ હોય? અથવા આ શાસ્ત્ર જોયા બાદ સમજવામાં આવ્યું નહિ હોય ! અથવા સમજવામાં આવ્યા બાદ પણ ભાષ્યકાર, ચૂર્ણિકાર આદિની બુદ્ધિથી પોતાની બુદ્ધિને અધિક માને છે કે જેથી તેમના લેખોનો અનાદર કર્યો છે? તે લેખોનો આદર કર્યો હોય, તો શું સત્ય માન્યું નહિ હોય! સત્ય નહિ માનવામાં શું અન્યમતની શ્રદ્ધાવાળા છે? જો અન્યમતની શ્રદ્ધાવાળા નથી, તો શું નાસ્તિકમતની શ્રદ્ધા રાખે છે. જો નાસ્તિક મતની શ્રદ્ધા નથી રાખતા, તો શું મારવાડ-માલવાદિ દેશોના શ્રાવકોથી કોઇ પૂર્વભવોના વૈરભાવ છે ? કે જેથી ભાષ્યકાર, ચૂર્ણિકારાદિ હજારો પૂર્વાચાર્યોના મતથી વિરુદ્ધ ત્રણ થોયનો કુપથ ચલાવીને તેમની શ્રદ્ધાને ભ્રષ્ટ કરીને તેમના મનુષ્યભવ બગાડવાની ઇચ્છા રાખો છો? હે ભવ્યજીવો ! હું તો તમને સત્ય કહું છું કે જો તમે ભાગ્યકાર, ચૂર્ણિકારાદિ હજારો પૂર્વાચાર્યોએ માનેલા ચાર થોયના મતને ઉત્થાપશો તો નિશ્ચયથી દીર્ઘ સંસારી અને અશુભગતિગામી થશો ! જો શ્રીરત્નવિજયજીએ ચલાવેલા ત્રણ થોયના પંથને માનશો નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004920
Book TitleChaturtha Stuti Nirnaya Part 1 2
Original Sutra AuthorN/A
AuthorAtmaramji Maharaj
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2007
Total Pages386
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy