________________
ભાવ્યવિધાયક ભામાશાહ.
અસ્થાને ગણાશે નહિ. આ ઉભય ભાઈઓએ વિદ્યા-સંબંધી એવાં મોટાં મોટાં કાર્યો કરેલાં છે અને અકબરના ધાર્મિક, રાજનૈતિક તથા સામાજીક વિચારો ઉપર એવી ગંભીર અસર કરેલી છે કે જેનું વિસ્તૃત વર્ણન કરવાને આ પ્રસંગ નથી. અહીં તે માત્ર એ ઉભય ભાઈઓની જરૂરગ ઓળખાણ આપવાનું જ અમે ઉચિત વિચાર્યું છે. આ બન્ને બંધુઓ શેખ મુબારકના પુત્ર હતા. શેખ મુબારક વિદ્વાન હતા, પરંતુ સ્વછંદ વિચારેથી તેને ઇસલામ ધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા નહતી. આ કારણથી ઈસલામ ધર્મના ઉલમાએ તેની વિરૂદ્ધ પડ્યા હતા અને તેથી તે પોતાના વતન નાગરને ત્યાગ કરીને આગ્રા પાસેના ચારબાગમાં વચ્ચે હતે. ચારબાગમાં આવ્યા બાદ ઈ. સ. ૧૫૪૭ માં અબુલફેજ (ફેજી) ને અને ઈસ. ૧૫૫૧ માં અબુલફજલનો જન્મ થયે હતે, શેખ મુબારકે પિતાના અને પુત્રને બહુજ સારી રીતે ભણાવીને વિદ્વાન બનાવ્યા હતા, પરંતુ તેઓ તેમના પિતાની જેમ ઈસલામ ધર્મ ઉપર કેટલેક અંશે અશ્રદ્ધાળુ બની ગયા હતા અને તેથી કટ્ટર મુસલમાનેએ તે ત્રણેને રેગ્ય દંડ દેવાને માટે અકબર બાદશાહને બહુ સમજાવ્યું હતું, પરંતુ અકબર વિચારશીળ અને વિવેકી હતું. એટલે તેમની સલાહથી ભેળવાઈ ન જતાં તે ઉભય બંધુઓની અપૂર્વ વિદ્વત્તાની યોગ્ય કદર કરીને તેમને પોતાના દરબારમાં તેણે રાખી લીધા હતા, ફેજી વિદ્વાન અને પ્રતિભાશાળી કવિ હતા તથા સુફી તત્ત્વયુક્ત કવિતા બનાવતું હતું. તેને નાનો ભાઈ અબુલફજલ ઘણેજ ઈમાનદાર હતો. તેના હદયમાં વીરતા અને વિચારોમાં સ્વછંદતા હતી. તેણે આઈન-ઈ-અકબરી અને અકબરનામાદિ એતિહાસિક ગ્રંથે પણ લખેલા છે, કે જેની સહાયથી અકબરના સમયના ઇતિહાસનું સારૂં જ્ઞાન મળી શકે છે. અકબર આ ઉભય બંધુઓ ઉપર ઘણી જ પ્રીતિ રાખતું હતું, પરંતુ તેના દરબારના અન્ય મુસલમાન અને તેમાં ખાસ કરીને શાહજાદ સલીમ તથા અબદુલકાદર એ બન્ને જણ તે બન્ને ભાઈઓને ધિક્કારતા હતા અને તેમના ઉપર ખાનગી વેર પણ રાખતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org