________________
ભેદ ખુલ્લા થયા.
પ્રકરણ ૧૨ મુ.
--
ભેદ ખુલ્લા થયા.
બાદશાહ અકખરની આજ્ઞાથી કેદી થયેલેા વિજય એક અજાણ્યા મનુષ્યની કૃપાથી કેદખાનામાંથી નિર્વિઘ્ને છુટી ગયા હતા. એ આપણે સાતમા પ્રકરણમાં વાંચી ગયા છીએ. વિજયને કેદી અવસ્થામાંથી મુક્ત કરનાર એ મનુષ્ય કાણુ હતું અને તેને મુકત કરવાના તેના શુ હતુ હતા, એ ભેદ વાચક મહાશયેાની જીજ્ઞાસાને તૃપ્ત કરવાની ખાતર હુવે ઉકેલવાની અગત્ય છે.
Jain Education International
૮૫
વિજયને કેદ કરવાના હુકમ જ્યારે બાદશાહે આપ્યા હતા, ત્યારે શાહજાદીએ તેમ નહિ કરવાને અને રહેમ રાખવાને માટે તેના બાખાને અરજ ગુજારી હતી, પરંતુ બાદશાહે પેાતાના હુકમની વચ્ચે નહિ પડવાની તેને સુચના કરીને પેાતાના હુકમને અમલમાં આણ્યા હતા, એટલે કે વિજયને બંદીવાન બનાવ્યેા હતેા. એ ઘટનાને વાચક બન્ધુએ સારી રીતે જાણે છે. બાદશાહ પાતાના અનુચર કાસમને વિજયને દીવાન બનાવવાનો હુકમ આપીને ચાલી ગયા ખાઇ શાહજાદી પણ પેાતાના આવાસે ચાલી આવી હતી. શાહજાદી પેાતાને આવાસે આવ્યા પછી નિર્દોષ વિજયને કેન્રખાનામાંથી શી રીતે મુક્ત કરવા, એના વિચારમાં ગુંથાઇ ગઇ. કેટલેાક સમય તેણે વિચારગ્રસ્ત સ્થિતિમાં પસાર કર્યાં અને છેવટે તે વિજયને મુક્ત કરવાના એક નિશ્ચય ઉપર માવી, તેણે તુરતજ પેાતાના શિક્ષક ફૈજી ઉપર એક કાગળ લખી નાંખ્યા અને તેમાં વિજય તદ્ન બેગુન્હા છે; તેથી તેને ગમે તે ઉપાયે કેદખાનામાંથી મુક્ત કરાવશેા, એવા રૂપમાં બનેલા બનાવનું વિગ તવાર વર્ણન કરીને ફેજીને વિનતિ કરેલી હતી. ફૈઝ તથા તેને નાના ભાઇ અબુલક્જલ બન્નેનું અકમરની દરબારમાં કેટલુ' માન હતુ તથા તેઆની વિદ્વત્તા કેટલી અગાધ હતી, એ ઇતિહુાસવેત્તા એથી અજાણ્યુ નથી; તેમ છતાં સર્વ સામાન્યની જાણ માટે અમે એ ઐતિહાસિક વાતને વિશેષ સ્પષ્ટ કરવાને પ્રવૃત્ત થઇએ તે તે
For Private & Personal Use Only
www.jainelibrary.org