________________
મેવાડની માનિની. ઓળખી ન શકે, એ સ્વાભાવિક જ છે. મહેબતખાં ! તમે જ્યારે મને ઓળખી શકતા નથી, ત્યારે મારે તમને મારો પરિચય કરાવવો પડશે સલ્બરરાજની કન્યા યમુનાને તમે કદિ જોઈ છે? તેને તમે ઓળખે છે?” રાજપૂત બાળાએ અભિમાનથી કહ્યું
હા, શું તે જ તમે યમુના!” મહોબ્બતખાએ અજાયબ થઈને કહ્યું. “તમનેએક વખત પ્રથમ જોયા હતા, પરંતુ તે વખતમાં અને અત્યારના વખતમાં ઘણે ફેર પડી ગયો છે, તે સમયે તમે એક ખીલતી કળી સમાન નિર્દોષ બાલિકા હતા અને અત્યારે યૌવન વયને પામેલા મુગ્ધા બાળા છે; તમને નહિ ઓળખવાનું કારણ માત્ર સમયને ફેરફારજ છે.”
યમુના મહોબ્બતખાં સામે તેજસ્વી નયનાએ જેતી ઉભી હતી, તેણે આંખમાં રતાશ લાવીને પૂછ્યું, “હવે તમે શું કરવા ધારે છે ?”
“શું કરવા ધારો છે, એ પ્ર”ન શા માટે પૂછે છે? તમારા પિતાએ તમારે વિવાહ સંબંધ મારી સાથે કર્યો છે, એ તે તમે ભૂલી ગયા નથીને ?” મહેબતખાંએ સામે સ્વાલ કર્યો.
“ નહિ, એ વાત તો જીવન પર્યત ભૂલી શકું તેમ નથી.” યમુનાએ ઉત્તર આપે.
તે પછી તમે મારી સાથે ચાલે હું તમને મારા ખરા જીગરથી ચાહું છું,” મહેમ્બતખાંએ સ્નેહસૂચક સ્વરે કહ્યું.
જે તમે મને ખરા જીગરથી ચાહે છે, તે પછી અત્યાર સુધી મને કેમ વિસરી ગયા હતા? અત્યાર સુધી મારી સંભાળ કેમ લીધી નહોતી ?” યમુનાએ પૂછ્યું.
“રાજકાર્યમાં પડીને એ વાત હું ભૂલી ગયા હતા. મને માફ કરે.” મહાબતખાંએ નમ્રતાથી કહ્યું. . મહેમ્બતખાં ! તમારી થયેલ ભૂલ માફ કરવાને મને હરકત નથી, પરંતુ તમે બીજી કેટલીક ભૂલો એવી ભયંકર કરી છે કે જેને માટે ક્ષમા આપી શકાય તેમ નથી.” યમુનાએ કહ્યું.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org