________________
મેવાડની માનિની, ઠીક, ચાલો.” પ્રતાપસિંહ એમ કહી આગળ ચાલે, એટલે ભામાશાહ, ગોવિંદસિંહ અને રણવીરસિંહ તેની પાછળ પાછળ ગયા.
મોગલ સેનાપતિ શાહબાજ ખાં અને મહબ્બતખાને પ્રતાપસિંહ પોતાના પરિવાર સાથે કિલ્લાને ત્યાગ કરીને ગુપચુપ ચાલ્યા ગયાની ખબર મળતાં તેઓ સકળ સૈન્ય સાથે કિલ્લા ઉપર એકદમ ધસી આવ્યા. કિલ્લાના રક્ષણ માટે નીમવામાં આવેલા સરદારે પોતાના સૈનિકો સાથે કિલ્લાને મજબુતાઈથી બચાવ કર્યો, પરંતુ અસંખ્ય અને અગણિત શત્રુસેન્ય આગળ એ બચાવ શું હિસાબમાં હતો? ક્ષણવારમાં જ કેમલમેરના કિલ્લાને શત્રુઓએ તોડી પાડ્યો. તેઓ કિલ્લાની અંદર એકદમ ધસી ગયા અને મનુ બેની ઘાસની જેમ કાપણી કરવા લાગ્યા. કિલ્લાનું રક્ષણ કરનાર સરદાર અને તેના સર્વ સૈનિકે મૃત્યુ પામ્યા અને તેથી સંવત ૧૬૩૫ ના વૈશાખ વદિ ૧૨ ના રોજ કેમલમેરને કિલે મગલેને હસ્તગત થયે. પ્રતાપસિંહ વિગેરેને પકડવા માટે શાહ બાજખાં તથા મહોબતખાં કિલ્લાના પ્રત્યેક સ્થળે ફરી વળ્યા; પરંતુ તેમને પત્તો નહિ લાગવાથી શાહબાજખાં મહેબતખાને કિલ્લામાં રહેવાનું કહીને છાવણી માં વિશ્રામ લેવાને ચાલ્યા ગયા. મહોબ્બતખાં કિલામાં એક રહ્યો એટલે તેને પ્રતાપસિંહના રહે વાના મકાનમાં જવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક સૈનિકોને લઈ તે તરફ ગયે. મહાબતખાએ જઈને પ્રતાપસિંહને રહેવાના મકા નને જોયું તો તે એક સામાન્ય મનુષ્યને રહેવા લાયકનું હતું અને તેમાં ભેગ કે વિલાસની એક પણ વસ્તુ નહતી. મહેબૂતખાં ત્યાંથી પાછા ફરતે હતો એટલામાં તેણે કે સ્ત્રીનો ચિત્કાર સાંભજે અને તેથી તેણે પિતાના સૈનિકને આસપાસ તપાસ કરવાની સૂચના આપી અને પિતે મકાનની બહાર ઉભે રહ્યો. થોડા સમયમાં જ સૈનિકે એક પંદરેક વર્ષની રાજપૂત બાળાને મહોબ્બતખાં પાસે લઈ આવ્યા. આ બાળા અપૂર્વ રૂપવતી હતી. તેના માથાના વાળ વિખરાઈ ગયેલા હોવાથી પવનથી આમતેમ ઉડતા હતા અને તેનું મુખ તથા તેની આખે ક્રોધથી લાલચોળ થઈ ગયેલી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org